પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હારથી ડરી રહી છે: પ્રશાંત ભૂષણ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જાણીતા
વકીલ પ્રશાંત ભૂષણે વન નેશન-વન ઈલેક્શનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આરોપ
લગાવ્યો છે કે,
કેન્દ્ર
સરકાર તેના માટે એટલા માટે પ્રચાર કરી રહી છે કારણ કે, તે પાંચ રાજ્યોમાં
ચૂંટણી ટાળવા માંગે છે. આ વર્ષના અંતમાં દેશમાં પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં
ચૂંટણી યોજાવાની છે.
પ્રશાંત
ભૂષણે કહ્યું કે,
વન
નેશન-વન ઈલેક્શનને સંસદીય લોકતંત્રમાં લાગુ ન કરી શકાય. કારણ કે, ભારત જેવા દેશમાં એક
સરકાર બહુમતી ગુમાવી દીધા બાદ મધ્યગાળામાં પણ પડી શકે છે અને ત્યારબાદ નવી
સરકારનું ગઠન થાય છે. જોકે,
વન
નેશન-વન ઈલેક્શનને લાગુ કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
કરવામાં આવશે જે લોકતંત્રની વિરુદ્ધ છે.
પ્રશાંત
ભૂષણે કહ્યું કે,
એનો
અર્થ એ થશે કે,
આપણે
ભારતને લોકતાંત્રિક પ્રણાલીથી રાષ્ટ્રપતિના શાસન વાળી પ્રણાલી તરફ લઈ જઈ રહ્યા છે.
તેથી આ અર્થમાં તે સંસદીય લોકશાહીનું સંપૂર્ણ ઉલ્લંઘન હશે. મારા મતે સરકાર આ અંગે
સંપૂર્ણ રીતે વાકેફ છે અને તેઓ એ પણ જાણે છે કે, રાષ્ટ્રપતિ શાસન વાળી
પ્રણાલી માટે બંધારણમાં કેટલાક સુધારા કરાવવા પડશે.
સરકારને
પાંચ રાજ્યોમાં હારનો ડર
તેમણે
કહ્યું કે,
હાલની
સરકાર પાસે રાજ્યસભામાં બહુમત નથી. તેમને આ તમામ તથ્યો વિશે જાણકારી છે. તેમ છતાં
સરકાર એક રાષ્ટ્ર-એક ચૂંટણીની દિશામાં આગળ વધી. તેનો એક માત્ર હેતુ આ વર્ષના
અંતમાં થનારી મધ્ય પ્રદેશ,
રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની
ચૂંટણીને ટાળવાનો છે.
ભૂષણે
દાવો કર્યો કે,
આ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હારથી ડરી રહી છે. એટલા માટે
એક રાષ્ટ્ર-એક ચૂંટણીના નામ પર વિધાનસભા ચૂંટણીને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સુધી
સ્થગિત કરાવવા માંગે છે. જેથી આ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય.