પાકિસ્તાની આયાતકારો દ્વારા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ભારતીય નિકાસકારોને બાકી ચૂકવણી ન કરવાના કેટલાક કિસ્સાઓ અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ.જયશંકરે
રાજ્યસભાને જણાવ્યુ કે પાકિસ્તાની દવા આયાતક એપ્રિલ-ડિસેમ્બર 2021થી પાકિસ્તાનને નિકાસ
કરાતા ફાર્માસ્યુટિકલ ઉત્પાદો માટે ભારતીય નિકાસકારોની 430,000 ડોલરની ચૂકવણી રોકી
રહ્યા છે. ઉપલબ્ધ રેકોર્ડ્સ મુજબ ભારતે એપ્રિલ 2021 થી ડિસેમ્બર 2021 સુધીમાં પાકિસ્તાનને $203.68 મિલિયનના ફાર્માસ્યુટિકલ
ઉત્પાદનોની નિકાસ કરી છે.
પાકિસ્તાની
આયાતકારો દ્વારા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ભારતીય નિકાસકારોને બાકી ચૂકવણી ન
કરવાના કેટલાક કિસ્સાઓ અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા છે. ડેટા ઉપલબ્ધ છે, ભારતીય નિકાસકારોની કુલ
લેણી રકમ લગભગ $430,000
છે.
ભાજપના સભ્ય સુબ્રમણ્યમ
સ્વામીએ પૂછ્યું હતું કે શું કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સપ્લાયરોએ
પાકિસ્તાનને દવાઓ સપ્લાય કરી છે અને જો તેઓ જો પાકિસ્તાનમાં નિકાસ કરાયેલા માલ
માટે ચૂકવણી કરવામાં આવી નથી, તો તેના જવાબમાં, તેમણે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદમાં ભારતના હાઇ
કમિશન આ માધ્યમ દ્વારા પાકિસ્તાનમાં સંબંધિત સત્તાવાળાઓ સાથે બાકી રકમનો મુદ્દો
ઉઠાવવામાં આવ્યો છે,
પરંતુ
પાકિસ્તાની પક્ષે હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.