• Home
  • News
  • નવી ગાઈડ લાઈન:એર ટ્રાન્સપોર્ટ બબલ હેઠળ અમેરિકા, UK, કેનેડા, ફ્રાન્સથી આવતાં પેસેન્જરે ભારતીય મિશનમાં નોંધણી નહીં કરાવવી પડે
post

ગૃહ મંત્રાલયની SOP મુજબ માત્ર કોરોના નેગેટિવને જ પ્રવાસની મંજૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 11:34:02

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) હેઠળ ભારત જે દેશો સાથે એર ટ્રાન્સપોર્ટ બબલ સમજૂતિ ધરાવતું હોય તે દેશોમાંથી આવતાં ભારતીય પ્રવાસીઓએ પરત ફરતી વખતે ભારતીય મિશનમાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં.

કોરોના મહામારીને કારણે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સસ્પેન્ડ હોવાથી એર ટ્રાન્સપોર્ટ બબલ હેઠળ કેટલાક દેશો સાથે કરવામાં આવેલી સમજૂતિ મુજબ મર્યાદિત પેસેન્જર ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવે છે. ભારતે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, યુકે, કેનેડા અને યુએઈ જેવા દેશો સાથે આ પ્રકારની ગોઠવણ કરી છે. ગાઈડ લાઈન મુજબ પેસેન્જરોને હવે પોતાના પૈસે મુસાફરી કરવી પડશે. એરપોર્ટ પર તમામ પેસેન્જરોને થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત છે.

નવી ગાઈડ લાઈન: સિનિયર સિટિઝન, મેડિકલ ઈમરજન્સી ધરાવનારને પ્રાથમિકતા

·         પેસેન્જર વંદે ભારત ફ્લાઈટમાં સ્વદેશ પરત આવવા માગતા હોય તો ભારતીય મિશનમાં રજિસ્ટ્રેશન જરૂરી છે. એર ટ્રાન્સપોર્ટ બબલ માટે રજિસ્ટ્રેશનની જરૂર નહીં.

·         ભારત આવતી ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોએ જાતે જ ભાડું ખર્ચવું પડશે. ભારતથી બહાર જતા મુસાફરો પણ નોન શિડ્યુલ ફ્લાઈટમાં જઈ શકશે.

·         કોરોનાની નેગેટિવ રિપોર્ટ હશે તો જ પાયલટ અને ક્રુ મેમ્બર્સને ફ્લાઈટમાં જવાની મંજૂરી આપવામાં આવશે. પેસેન્જર માટે પણ કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી.

·         વંદે ભારત હેઠળ મુસાફરી કરનાર તમામ પેસેન્જરોનો ડેટા બેઝ તૈયાર કરાશે જે સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યો સાથે શેર કરવામાં આવશે.

·         ઉડ્ડયન મંત્રાલય કે શિપિંગ મંત્રાલયની મંજૂરી બાદ જ નોન શિડ્યુલ ફ્લાઈટ કે શિપથી ભારત પરત આવવાની મંજૂરી આપવામાં આવશે.

·         વિદેશથી ભારત આવતા કે ભારતથી વિદેશ જતાં તમામ પેસેન્જરોએ તેઓ પોતાના જોખમે મુસાફરી કરી રહ્યા છે તેવી બાંયધરી પણ આપવી પડશે.

·         નિશ્ચિત સમય મર્યાદાના વિઝા ધરાવતા લોકો, મેડિકલ ઇમરજન્સી, ગર્ભવતી કે વડીલો જેમને ભારત પરત ફરવું જરૂરી છે તેવા લોકોને મુસાફરી માટે પ્રાથમિકતા અપાશે.

·         ભારતમાંથી વિદેશ જતા મુસાફરોની કેટેગરીની માહિતી ઉડ્ડયન મંત્રાલયની સાઈટ પર પ્રસિદ્ધ કરાશે.ભારત બહાર નોન શિડ્યુલ ફ્લાઈટથી મુસાફરી કરી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post