દેશમાં કેસ વધતાં ફરી લૉકડાઉનની અટકળોને કેન્દ્ર સરકારે ફગાવી દીધી
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 12:03:44
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ લૉકડાઉન
લગાવવા અંગે પુન:વિચાર કરવાની અટકળોને ફગાવી દીધી છે. બુધવારે કોરોના સામેની લડાઈ, અનલૉક-1ની સમીક્ષા અંગે બીજા
દિવસે મધ્યપ્રદેશ સહિત બાકીનાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે બેઠક
કરી.
વડાપ્રધાન
મોદીએ કહ્યું કે તે લૉકડાઉનની અફવાથી લડવા અને અનલૉક-2ની તૈયારી શરૂ કરે. આપણે
હવે અનલૉક-2
પર
ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ એ પણ કે લોકોને નુકસાનથી કઈ રીતે બચાવીએ. દેશમા
કોરોનાથી સાજા થયા લોકોની સંખ્યા 2 લાખના નજીક પહોંચી ગઈ છે.
બુધવારે
12,813 નવા દર્દી સાથે કુલ
દર્દી 3,58,458
થયા.
8,355 લોકો સાજા થતાં કુલ 1,93,081 લોકો કોરોનાને મ્હાત આપી
છે.