કેન્દ્રએ કહ્યું- 5મી સુધીમાં ખાતામાં પૈસા જમા થશે
ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેન્કો, નાણાકીય સંસ્થાઓને મંગળવારે કહ્યું
કે તેઓ 2 કરોડ
રૂ. સુધીની લોન માટે તાજેતરમાં જાહેર કરાયેલી વ્યાજમાફી યોજના 5 નવેમ્બર સુધીમાં લાગુ કરે. આ યોજના
અંતર્ગત 2 કરોડ
રૂ. સુધીની લોનના વ્યાજ પરનું વ્યાજ 1 માર્ચ, 2020થી 6 મહિના માટે માફ કરાશે. સરકારે આ
યોજનાનો લાભ લેવા માટેની યોગ્યતા ધરાવતા લોન ખાતાં માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને
સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની ચુકવણી અંગેની યોજના 23 ઓક્ટોબરે જાહેર કરી હતી. સરકારે
તમામ બેન્કોને 5 નવેમ્બર
સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ તથા સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની રકમ લોનધારકના
ખાતામાં જમા કરવા કહ્યું હતું.
કેન્દ્રએ કહ્યું- 5મી સુધીમાં ખાતામાં પૈસા જમા થશે
સુપ્રીમમાં
સરકારે જણાવ્યું છે કે રિઝર્વ બેન્કની મોરેટોરિયમ સ્કીમમાં 2 કરોડ રૂ. સુધીની લોન લેનારા
લોનધારકો માટે વ્યાજના વ્યાજ, સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની રકમ બેન્કો 5 નવે. સુધીમાં ખાતાંમાં જમા કરી
દેશે, તે
રકમનો કેન્દ્ર સરકાર પાસેથી ક્લેમ કરશે. કેન્દ્રે તેની એફિડેવિટમાં સુપ્રીમને
જણાવ્યું કે નાણામંત્રાલયે જારી કરેલી સ્કીમ મુજબ લોન આપનારી બેન્કો કોરોનાના
કારણે 6 મહિનાના
મોરેટોરિયમના ગાળા દરમિયાન સામાન્ય વ્યાજ, વ્યાજના વ્યાજ વચ્ચેના તફાવતની રકમ
લોનધારકોનાં ખાતાંમાં જમા કરશે.