સનાતન વિવાદ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, નીતીશ કુમાર ચુપ : પુષ્કર સિંહ ધામી
દેશમાં હાલ ‘વન નેશન વન ઈલેક્શન’, ‘ઈન્ડિયા વિ. ભારત’ અને ‘સનાતન ધર્મ’ અંગે ચારેકોર ચર્ચા ચાલી
રહી છે, ત્યારે આ અંગે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પ્રતિક્રિયા આપી છે. ધામીએ કહ્યું
કે, 'વન નેશન વન ઈલેક્શન' દેશહિતમાં છે... તેઓ 3 વર્ષ વહેલી ચૂંટણી માટે
પણ તૈયાર છે... ધામીએ આજે યોજાયેલ ‘હિન્દુસ્તાન સમિટ’માં આ પ્રતિક્રિયા આપી હતી. ઉપરાંત તેમણે
ઉત્તરાખંડમાં 2024
પહેલા
યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પણ જાહેરાત કરી છે.
‘ભારતનું નામ પણ ભારત
થવું જોઈએ’
દેશનું
નામ બદલવાના વિવાદ અંગે ધામીએ કહ્યું કે, તમામ દેશોના જે નામ છે, અંગ્રેજીમાં પણ તે જ નામ
છે... ભારતનું નામ પણ ભારત થવું જોઈએ, તેમાં કોઈ વિવાદની વાત નથી... કેટલાક લોકો બિનજરૂરી
વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
‘28 પક્ષો અસ્તિત્વને બચાવવા
માટે એક થયા’
28 પક્ષોના વિપક્ષી ગઠબંધન ‘INDIA’ પર નિશાન સાધતા ધામીએ
કહ્યું કે,
આ
લોકો પરિવાર અને પોતાના અસ્તિત્વને બચાવવા માટે એક થયા છે... તેમણે કહ્યું કે, જ્યાં સુધી ઈન્ડિયા
એલાયન્સની વાત છે,
તે
જૂની યુપીએ છે... દેશની જનતાનું ગઠબંધન મોદીજીની સાથે છે... મોદી જ્યારે 2014માં પીએમ પદના ઉમેદવાર
હતા... તે સમયે તેમને જે મતો મળ્યા, તેનાથી વધુ 2019માં મળ્યા અને તેનાથી વધુ 2024માં મળશે...
‘સનાતન અંગે સોનિયા, રાહુલ, મમતા, નીતીશની કોઈ પ્રતિક્રિયા
ન આવી’
સનાતન
ધર્મ પર થઈ રહેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે ધામીએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનના ઘણા
નેતાઓ આવી ટીકા કરી રહ્યા છે, જોકે મોટા નેતાઓ ચુપ બેઠા છે... તેમણે કહ્યું કે, કેટલાક લોકો સનાતન ધર્મ
અંગે તમામ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે... સ્ટાલિનના પુત્રએ પણ ટીકા કરી છે...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્રએ પણ ટિપ્પણી કરી છે... ઈન્ડિયા
ગઠબંધનના લોકો સતત ટિપ્પણી કરી રહ્યા છે... મોટા મોટા નેતાઓ ચુપ છે... આ મામલે
સોનિયા ગાંધી,
રાહુલ
ગાંધી, મમતા બેનર્જી, નીતીશ કુમારની કોઈ
પ્રતિક્રિયા આવી નથી... આ સવાલ માત્ર મારો નથી, તે તમામનો છે, જેઓ પોતાની દ્રષ્ટિએ સનાતન છે.... હું કહેવા ઈચ્છું
છું કે, સનાતન શું છે... સનાતન
નવો પણ નથી અને જુનો પણ નથી... સનાતન પહેલા પણ હતો, હજુ પણ છે અને સતત
રહેશે... આ અટકવાનું નથી... જે હમેશા રહેશે તે સનાતન છે...
ધામીએ ‘એક દેશ, એક ચૂંટણી’ના જણાવ્યા ફાયદા
ધામીએ
કહ્યું કે,
વારંવાર
ચૂંટણી યોજવાથી વિકાસને અસર થાય છે, તેથી તમામ ચૂંટણી એકસાથે યોજાવી જોઈએ... તેમણે કહ્યું
કે, ‘એક દેશ, એક ચૂંટણી’ નિશ્ચિતરૂપે યોજાવી
જોઈએ.... આમ કરવાથી ઘણી સગવડો થવાની છે... 5 વર્ષમાં ઘણી ચૂંટણીઓનો સામનો કરવો પડે છે... લોકસભા
ચૂંટણી અલગથી યોજાય છે... વિધાનસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ પડે છે... 2-3 મહિના સુધી સંપૂર્ણ
મશીનરી ઠપ થઈ જાય છે... પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી યોજા છે... સ્થાનિક સંસ્થાઓની
ચૂંટણીઓ યોજાય છે... વારંવાર ચૂંટણી યોજાવાના કારણે ચૂંટણીને વિકાસની વૃદ્ધિ અટકે
છે... ઉપરાંત અઢળક નાણાંનો ખર્ચ થાય છે. પીએમ મોદીએ જે સંકલ્પ લીધો છે, તે પૂરો થવો જોઈએ, તેમાં જ દેશની પ્રગતિ
છે...
‘અમે 3 વર્ષ પહેલા ચૂંટણી યોજવા
તૈયાર’
જ્યારે
ધામીને પૂછવામાં આવ્યું કે,
શું
તેઓ ‘એક દેશ, એક ચૂંટણી’ના નામે ત્રણ વર્ષ પહેલા
ચૂંટણી યોજવા માટે તૈયાર છે ? તો ધામીએ કહ્યું કે, હા કેમ નહીં... અમે એવી
પાર્ટીમાં કામ કરી રહ્યા છે, જેમાં દેશ પહેલા નંબરે છે, પક્ષ બીજા નંબરે અને
વ્યક્તિનું હિત અંતિમ સ્થાન પર હોય છે... કોઈપણ નિર્ણય દેશહિતમાં લેવાશે...