• Home
  • News
  • કતારની જેલમાં બંધ 8 ભારતીય અધિકારીઓને રાહત, મૃત્યુદંડની સજા પર સ્ટે
post

ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓ ગત વર્ષ ઓગસ્ટથી કતારની જેલમાં બંધ

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-28 16:33:50

નવી દિલ્હી: કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓની મોતની સજા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ભારતીય નૌકાદળના આ 8 પૂર્વ અધિકારીઓ ગત વર્ષ ઓગસ્ટથી કતારની જેલમાં બંધ છે. કતારે નૌકાદળના અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જોકે કેસના જાણકારોનું કહેવું છે કે, આ તમામ અધિકારીઓ પર જાસુસી કરવાનો આરોપ લગાવાયો છે.


adv

Related News

post
post
post
post
post
post
post