• Home
  • News
  • શાહનું મિશન કાશ્મીર:ગૃહમંત્રી નૌગામમાં શહીદ ઇન્સ્પેકટરના પરિવારને મળ્યા; શહીદનાં પત્નીને નોકરીનો પત્ર સોંપ્યો
post

ગૃહમંત્રી 24 ઓકટોબરે જમ્મુમાં ભાજપની એક રેલીને સંબોધન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-23 17:12:34

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. અમિત શાહે શ્રીનગર પહોંચ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસમાં CIDના શહીદ ઈન્સ્પેકટર પરવેઝ અહેમદ ડારની પત્ની ફાતિમા અખ્તર સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં ઉપ-રાજયપાલ મનોજ સિંહાએ એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

આ બેઠક બાદ શાહે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ શહીદ જવાન પરવેઝ અહમદના ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. મને અને સમગ્ર દેશને તેની બહાદુરી પર ગર્વ છે. તેમના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમની પત્નીને સરકારી નોકરી આપી. શાહે કહ્યુ છે કે, મોદીજીએ જે નવા J&Kની કલ્પના કરી છે તેને સાકાર કરવા માટે J&K પોલીસ ખંતપૂર્વક કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં હાલની આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય લોકો પર થયેલા હુમલા બાદ સુરક્ષાની દૃષ્ટિએ શાહની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શાહ ત્રણ દિવસ માટે જમ્મુ અને કાશ્મીરમાં રહેશે અને ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરશે.

ગૃહમંત્રી અમિત શાહ 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ લગભગ 25 મહિના બાદ પ્રથમ વખત શનિવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. ઘાટીમાં હાલમાં આતંકી ઘટનાઓમાં સામાન્ય લોકો પર હુમલા બાદ સુરક્ષાની દૃષ્ટિએ શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો છે. શાહ અહીં ત્રણ દિવસ રહેશે.

શાહના પ્રવાસને જોતાં ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિશેષ રીતે સ્નાઈપર્સ, ડ્રોન અને શાર્પશૂટર્સને તહેનાત કર્યા છે. તેને સ્ટ્રેટેજિક પોઈન્ટની દેખરેખ માટે તહેનાત કરવામાં આવ્યા છે.

શ્રીનગર પહોંચ્યા બાદ LG મનોજ સિંહની સાથે રાજભવન જશે. અહીં તેઓ RAW પ્રમુખ સામંત કુમાર ગોયલ, સેનાના મોટા અધિકારીઓ, IB ચીફ સહિત 12 મોટા સુરક્ષા અધિકારીઓએ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે.

યુનિફાઇડ કમાન્ડ બેઠકમાં ભાગ લેનારાઓમાં IB ચીફ અરવિંદ જુમાર, ડીજીપી CRPF અને NIA કુલદીપ સિંહ, DGP NSG અને CISF એમ ગણપતિ, ડીજીપી BSF પંકજ સિંહ, ડીજીપી જમ્મુ-કાશ્મીર દિલબાગ સિંહ, આર્મી કમાન્ડર અને ટોચના કોર્ટ કમાન્ડો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ખીણમાં સુરક્ષા કડક કરવામાં આવી છે
ગૃહમંત્રીની મુલાકાત માટે સમગ્ર કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. IB, NIA, આર્મી, CRPFના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ દરેક ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મોનિટરિંગ કરી રહ્યા છે.

શ્રીનગરમાં પેરામિલિટરીના વધારાના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં CRPFની 10 અને BSFની 15 વધારાની કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ ડ્રોન અને ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા તમામ જગ્યાએ બાજનજરથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સીઆરપીએફની એક ટુકડી દાલ તળાવ અને જેલમ નદીમાં પેટ્રોલિંગ કરી રહી છે. દરેક રસ્તા અને ગલીમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post