• Home
  • News
  • શિજાન ખાનને આવી દિવંગત પ્રેમિકાની યાદ:એક્ટ્રેસના મૃત્યુના 99માં દિવસે શેર કરી ઈમોશનલ કવિતા, કહ્યું કે, 'આપણી વચ્ચે હવે સદીઓની એકલતા છે '
post

ટીવી એક્ટર શિજાન ખાન તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં જામીન પર બહાર છે. 4 માર્ચે વસઈ કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:35:52

તુનિષા શર્માના મૃત્યુને 99 દિવસ વીતી ગયા છે. આ દરમિયાન રવિવાર એટલે કે 2 એપ્રિલના રોજ, તુનિષાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને હત્યાના આરોપી શિજાન ખાને તેની યાદમાં એક પોસ્ટ શેર કરીહતી. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા શિજાને તુનિષા સાથે વિતાવેલી પળોને ફેન્સ સાથે શેર કરી હતી. આ ઉપરાંત શિજાને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ માટે ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ શેર કરી. શિજાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બની છે. ટીવી એક્ટર શિજાન ખાન તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં જામીન પર બહાર છે. 4 માર્ચે વસઈ કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી હતી.

શિજાન ખાનને આવી તુનિષાની યાદ
લેટેસ્ટ પોસ્ટ દ્વારા શિજાને એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે તે તુનિષાને કેટલી મિસ કરે છે. શેર કરેલા વિડિયોમાં, તુનિષા અને શિજાન અલી 'બાબાઃ દાસ્તાન-એ કાબુલ'ના સેટ પર સાથે મસ્તી કરતા જોવા મળે છે.

શિજાને પોતાની પીડા કવિતામાં વ્યક્ત કરી
કેપ્શનમાં, શિજાને તુનિષાને એક પરી કહી છે જે આકાશમાંથી ઉતરી હતી, જેની આંખો ખૂબ જ સુંદર હતી, જેની શૈલી અદભૂત હતી. આટલું જ નહીં, શિજાને કવિતામાં કહ્યું કે તુનિષાને ઘણી સમસ્યાઓ હતી પરંતુ તેણે કોઈને કંઈ કહ્યું નહીં અને તે એક દિવસ અચાનક ચૂપ થઈ ગઈ. શિજાનની વેદના કવિતામાં છલકાઈ છે અને તેણે કવિતા દ્વારા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે કે તે તુનીષાને યાદ કરે છે અને તેના ગયા પછી જીવન ખૂબ જ ખાલી થઈ ગયું છે.

યુઝર્સે શિજાનની કવિતા પર પ્રતિક્રિયા આપી
શિજાનની આ પોસ્ટ પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તુનિષા આત્મહત્યા કેસમાં પણ ઘણા લોકો તેને સમર્થન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, 'તમે આ કવિતા ખૂબ જ સુંદર રીતે લખી છે અને દરેકના નામ પણ ખૂબ જ સુંદર રીતે શબ્દોમાં સજાવવામાં આવ્યા છે.' અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'હિંમત રાખો, બધું સારું થઈ જશે, તમારી માતા, તમારી બે બહેનોએ તમારા માટે ખૂબ લડ્યા છે, તમે સાચા છો અને તમે કંઈ કર્યું નથી. મજબુત રહો. ત્રીજા યુઝરે લખ્યું હતું કે, 'તમે ગયા ત્યારથી મેં શો જોવાનું બંધ કરી દીધું છે. હું આશા રાખું છું કે તમે ટૂંક સમયમાં શોમાં પાછા આવશો. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'આપણે બધા તુનિષાને ખૂબ મિસ કરીએ છીએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post