સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-11-15 10:36:32
મુંબઈ: સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં સતત
સુધારો થઈ રહ્યો છે. જો કે તેઓ હજુ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.
લતાજીના કુટુંબીજનોએ કહ્યું હતું કે લતા દીદીની તબિયતમાં દર કલાકે સુધારો થઈ રહ્યો
છે અને અમે તેમને ઝડપથી સ્વસ્થ્ય થઈ જાય એટલે ઘરે લઈ જવાની રાહ જોઈ રહ્યાં છે.
ભારત રત્ન લતા મંગેશકર હવે જોખમની બહાર હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું.
તેમણે લતા દીદીની પ્રાર્થના માટે દેશવાસીઓનો આભાર માન્યો હતો.