મહિલા રેસલર્સે બ્રિજભૂષણ સિંહ વિરુધ સોમવારે FIR નોંધવા માટે અરજી કરી હતી
દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા
રેસલર્સનાં ધરણાં પરનો આજે ત્રીજા દિવસે ચાલે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 7 મહિલા કુસ્તીબાજની અરજી
પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. કોર્ટે કહ્યું હતું કે, કુસ્તીબાજોએ અરજીમાં
જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. જેને ધ્યાને લેવાની જરૂર છે. સુપ્રીમ
કોર્ટ આ મામલે શુક્રવારે આગળ સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે FIR ન નોંધવા બદલ દિલ્હી
પોલીસને નોટિસ પાઠવી
CJI DY ચંદ્રચૂડે પણ રેસલિંગ ફેડરેશન
ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને BJP
સાંસદ
બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. 7 મહિલા કુસ્તીબાજઓએ સાંસદ બ્રિજભૂષણ સિંહ
વિરુધ સોમવારે FIR
નોંધવા
માટે અરજી કરી હતી.
કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂતો જોડાયા
સોનીપતના
ખેડૂતોનું એક જૂથ પણ આ વિરોધમાં કુસ્તીબાજોના સમર્થન માટે દિલ્હીના જંતર-મંતર
પહોંચ્યું છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, જ્યાં સુધી WFI ચીફ સામે કાર્યવાહી નહીં થાય
ત્યાં સુધી તેઓ દિલ્હીથી પાછા નહીં ફરે. તેમણે કહ્યું કે, લાખો ખેડૂતો જંતર-મંતર
પર ધામા નાખશે.