બેંકે કોવિડ-19 (Covid-19) ની રાહત પહેલ માટે નાણાકીય વર્ષ 2021-22માં પરિવર્તન હેઠળ રૂ. 100 કરોડની પ્રારંભિક રકમ પૂરી પાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં બેંકે પરિવર્તનના ભાગરૂપે કોવિડ-19 (Covid-19) ના રાહતકાર્યો માટે રૂ. 120 કરોડનું યોગદાન આપ્યું હતું.
મુંબઈ: એચડીએફસી બેંકે (HDFC Bank) તેની પરિવર્તન પહેલ હેઠળ
આજે કોવિડ-19
રોગચાળા
સામે લડત આપવામાં મદદરૂપ થવા સમગ્ર દેશમાં તબીબી આંતરમાળખું સ્થાપવા અને તેને
ઉન્નત બનાવવા અનેકવિધ ઉપાયોની જાહેરાત કરી હતી. આ ઉપાયોમાં સમગ્ર ભારત (India) ની હોસ્પિટલોમાં તબીબી
પુરવઠો પૂરો પાડવાની સાથે-સાથે ઑક્સિજનના પ્લાન્ટ (Oxygen plants) , તબીબી ઉપકરણો અને આઇસીયુ
(ICU) ની સુવિધા જેવું સ્થાયી
તબીબી આંતરમાળખું સ્થાપવાનો સમાવેશ થાય છે.
બેંકે
કોવિડ-19
(Covid-19) ની
રાહત પહેલ માટે નાણાકીય વર્ષ 2021-22માં પરિવર્તન હેઠળ રૂ. 100 કરોડની પ્રારંભિક રકમ
પૂરી પાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં બેંકે પરિવર્તનના
ભાગરૂપે કોવિડ-19
(Covid-19) ના
રાહતકાર્યો માટે રૂ. 120
કરોડનું
યોગદાન આપ્યું હતું.
•
ભારતમાં
આવેલી વિવિધ હોસ્પિટલોમાં ઑક્સિજનના 20 પ્લાન્ટ સ્થાપવા
• 100-બેડની
ત્રણ કોવિડ કૅર ફેસિલિટી સ્થાપવી
• બે
આઇસોલેશન સેન્ટર ઊભા કરવા
• દેશમાં
200થી વધુ હોસ્પિટલોને
તબીબી ઉપકરણો અને પુરવઠો પૂરો પાડવો
ઑક્સિજન
પ્લાન્ટ (Oxygen
plants) અને
કોવિડ કૅર મેડિકલ ફેસિલિટી સ્થાપવા માટે બેંક ભારતમાં હોસ્પિટલોને ઓળખી કાઢવા માટે
સ્થાનિક વહીવટીતંત્ર સાથે ભેગા મળીને કામ કરશે. બેંક આ રોગચાળાથી પ્રભાવિત થયેલા
વિદ્યાર્થીઓને ECSS
(એજ્યુકેશન
ક્રાઇસિસ સ્કોલરશિપ સ્કીમ) હેઠળ સ્કોલરશિપ પૂરી પાડવાનું અને ગામડાંઓમાં 1.5 લાખ જેટલા લોકોને માસિક
રેશન પૂરું પાડવાની પણ યોજના બનાવી રહી છે.
એચડીએફસી
બેંક (HDFC
Bank) ના
સીએસઆર, બિઝનેસ ફાઇનાન્સ એન્ડ
સ્ટ્રેટેજી,
એડમિનિસ્ટ્રેશન
અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રૂપ હેડ આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક (HDFC Bank) નું માનવું છે કે, આ રોગચાળા સામે લડત આપવા
માટે સમાજ અને સંગઠનોએ એકસાથે આગળ આવવાની જરૂર છે. અમારા પ્રયાસો સમાજ પ્રત્યેની
અમારી કટિબદ્ધતાને પૂરી કરવાની દિશામાં ભરવામાં આવેલું એક નાનકડું ડગલું છે. અમે
પરિવર્તન હેઠળ લાંબાગાળાનું સ્થાયી આંતરમાળખું રચવામાં માનીએ છીએ અને કોવિડ-19 સામેની લડતમાં મદદરૂપ
થવા માટે
અમે
ઑક્સિજનના પ્લાન્ટ,
તબીબી
ઉપકરણો અને કોવિડ કૅર ફેસિલિટીઝ જેવું આવશ્યક તબીબી આંતરમાળખું રચવા માટે અમારા
એનજીઓ પાર્ટનર્સ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે ભેગા મળીને કામ કરી રહ્યાં છે. અમે
શિક્ષણ અને આજીવિકા જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગીએ
છીએ, ખાસ કરીને કોવિડ-19થી પ્રભાવિત થયેલા
પરિવારો પર અને વધુને વધુને આ પ્રકારની લાંબાગાળાની સ્થાયી પહેલ પર કામ કરવાની
ઇચ્છા ધરાવીએ છીએ.’