• Home
  • News
  • ખેડૂત આંદોલન પર કંઈ પણ સાંભળવા તૈયાર નથી CJI, સમિતિને લઈને કહી આ વાત
post

તેમણે કહ્યું કે, “એક સારી સમિતિ કેવી હોય, અમે આના પર સૌના વિચાર નહીં સાંભળીએ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 12:14:08

સુપ્રીમ કૉર્ટે (Supreme Court) ત્રણેય નવા કૃષિ કાયદાઓ(Farmers Bill 2020)ના અમલ પર સ્ટે લગાવી દીધો છે. અદાલતે 4 સભ્યોવાળી એક સમિતિનું ગઠન કર્યું છે, જે આ કાયદા  (Law)ને વિસ્તૃત રીતે ચકાસશે. કમિટી (Committee) એ જોશે કે કઈ જોગવાઈ ખેડૂતોના હિતમાં છે. બે મહિનામાં કમિટીની રિપોર્ટ સુપ્રીમ કૉર્ટને સોંપવામાં આવશે. સીજેઆઈ એસએ બોબડે (SA Bobde), જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની ખંડપીઠે કહ્યું કે કમિટી સરકાર સહિત તમામ હિતધારકોની વાત સાંભળશે. જ્યારે કેટલાક વકીલોએ કહ્યું કે કમિટીનું સ્વરૂપ સૌને સ્વીકાર્ય હોવું જોઈએ તો સીજેઆઈએ વલણ સ્પષ્ટ કરી દીધું.

તેમણે કહ્યું કે, “એક સારી સમિતિ કેવી હોય, અમે આના પર સૌના વિચાર નહીં સાંભળીએ. અમે નક્કી કરીશું કે એ સમિતિમાં કોણ કોણ હશે જે અમને મુદ્દા પર નિર્ણયમાં મદદ કરશે.સુપ્રીમ કૉર્ટની સમિતિમાં ભૂપિન્દર સિંહ માન ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ, અનિલ ધનવત શેતકારી સંગઠનના અધ્યક્ષ, ડૉ. પ્રમોદ જોશી દક્ષિણ એશિયાના આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ તેમજ International Food Policy and Research Instituteના નિર્દેશક, અશોક ગુલાટી કૃષિ અર્થશાસ્ત્રી તથા કૃષિ યોજના અને કિંમતોના પૂર્વ અધ્યક્ષ.

પહેલાની MSP આગામી આદેશ સુધી ચાલું રહેશે

બેન્ચે પોતાના આદેશમાં એ પણ કહ્યું કે, “કૃષિ કાયદો લાગુ થવાથી પહેલાની ન્યૂનતમ સમર્થન મૂલ્ય પ્રમાણી આગામી આદેશ સુધી લાગુ રહેશે. આ ઉપરાંત ખેડૂતોની જમીનના માલિકીના હકની સુરક્ષા હશે, મતલબ નવા કાયદા અંતર્ગત કરવામાં આવેલી કોઈ પણ કાર્યવાહીમા પરિણામ સ્વરૂપ કોઈ પણ ખેડૂતને બેદખલ અથવા માલિકીના હકથી વંચિત નહીં કરવામાં આવે.આ મામલે હવે 8 અઠવાડિયા બાદ સુનાવણી થશે.

તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ચર્ચામાં ભાગ લેશે

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, “દિલ્હીમાં કમિટીને સરકાર કાર્યકારી જગ્યા અને સચિવાલય સહાય પૂરી પાડશે. દિલ્હી અથવા અન્યત્ર બેઠકની બેઠકનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ભલે તે પ્રદર્શન કરે છે કે નહીં અને તે આ ચર્ચાઓમાં ભાગ લેશે અને કાયદાના સમર્થનમાં હોય કે વિરુધ્ધ, પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. ” SC એ તેના વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે સમિતિની પ્રથમ બેઠક મંગળવાર (22 જાન્યુઆરી)થી 10 દિવસની અંદર યોજાશે. ખંડપીઠને આશા હતી કે વિરોધ કરી રહેલા ખેડુતોએ ધરણા પૂરા કરી પાછા ફરશે અને સમિતિના અહેવાલ અને કોર્ટના નિર્ણયની રાહ જોશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post