દિલ્હીમાં આ બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આવાસ પર થશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સીટ શેયરિંગ પર ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ ઝડપી જ લોકસભા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.
Written By newsonline | Ahmedabad | Published: 2024-03-11 17:15:26
આગામી લોકસભા ચૂંટણીને
જોતા મહારાષ્ટ્રનું શાસક ગઠબંધનની વચ્ચે આજે ફરીથી બેઠક યોજાવાની છે. તેના માટે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, પૂર્વ મુખ્યપ્રધાન
દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર દિલ્હી પહોંચી રહ્યા છે.
દિલ્હીમાં આ બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આવાસ પર થશે. આ બેઠકમાં
મહારાષ્ટ્રમાં સીટ શેયરિંગ પર ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ ઝડપી જ લોકસભા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે
મહારાષ્ટ્રમાં લોકસભાની 48
સીટ છે, જેમાં શિવસેના (શિંદે
જૂથ) 13 સીટ,
એનસીપી (અજિત પવાર) 6 સીટ અને ભાજપ 34થી વધારે સીટની માગને લઈ મક્કમ છે.