1947માં સંપૂર્ણપણે વિલિનીકરણ થયું હતું
પાકિસ્તાન સરકારે રવિવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને અસ્થાયી
પ્રાંતનો દરજ્જો આપવાનું એલાન કર્યું છે. આ અંગે ભારતે આકરો વિરોધ નોઁધાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે પાકિસ્તાનની તરફથી
જબરદસ્તીથી કબજે કરાયેલા ભારતીય ભૌગોલિક હિસ્સામાં કોઈ પણ બદલાવને ભારત નકારી કાઢે
છે. આ હરકત સહન કરવામાં નહીં આવે.
ગિલગિટ-બાલ્ટિસ્તાન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર
અને લદાખ ભારતના અભિન્ન હિસ્સા છે. પાકિસ્તાન આ ક્ષેત્રોનો દરજ્જો બદલવાના બદલે
ગેરકાયદે કબજો તુરંત ખાલી કરી દે.
1947માં સંપૂર્ણપણે વિલિનીકરણ થયું
હતું
અનુરાગ
શ્રીવાસ્તવે કહ્યું, ‘1947માં
જમ્મુ-કાશ્મીર ભારત સંઘમાં સંપૂર્ણપણે વિલિન થયું હતું. આ સંપૂર્ણપણે કાયદેસર
હતું. આ કારણથી પાકિસ્તાન સરકાર જબરદસ્તીથી કબજે કરેલા વિસ્તારો પર આ રીતે બદલાવ ન
કરી શકે. પાકિસ્તાન 7 દાયકાથી
આ વિસ્તારોમાં ગેરકાયદે કબજો કરીને અહીંના લોકોને ત્રાસ આપી રહ્યું છે.
માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ ઠીક નથી.’
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં શરૂ થયો
વિરોધ
પાકિસ્તાન
સરકાર તરફથી અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપવાના એલાન પછી તરત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં
વિવાદ શરૂ થયો છે. સેંકડોની સંખ્યામાં લોકો ઈમરાન ખાનના આ નિર્ણયના વિરોધમાં
માર્ગો પર ઉતરી આવ્યા હતા. લોકોએ ઈમરાન ખાન વિરુદ્ધ નારેબાજી કરી હતી. લોકોએ
કહ્યું હતું કે તેઓ જીવ આપી દેશે, પરંતુ પાકિસ્તાન સાથે ક્યારેય નહીં જાય.