નજીકના દિવસોમાં જ વેક્સિન તૈયાર થઈ જશે તેવું શક્ય નથી
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 11:59:38
અમદાવાદ:
કોરોના મહામારી વચ્ચે WHOએ દુનિયાને ફરી ચેતવણી આપી છે. WHOએ
સ્પષ્ટતા કરી કે, આ વાઇરસનો રામબાણ ઈલાજ ક્યારે મળે તે કહી
શકાય નહીં. WHOના કોવિડ-19ના
ટેકનિકલ લીડ અને ઈમર્જન્સી હેલ્થ સર્વિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈક રેયાને
કહ્યું કે, દુનિયાએ વાઇરસ સાથે જીવતા શીખવું પડશે.
તેમણે સ્પષ્ટતા કરી કે, કોરોનાની વેક્સિન અંગે દુનિયાભરમાં
પરીક્ષણ ચાલી રહ્યા છે, પરંતુ નજીકના દિવસોમાં જ વેક્સિન તૈયાર થઈ
જશે તેવું શક્ય નથી.