ભારતે પાક. રાજદ્વારીને કહ્યું- તાત્કાલિક મુક્ત કરો
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 08:58:49
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની
રાજધાની ઈસ્લામાબાદમાં આવેલા ભારતીય ઉચ્ચાયોગના બે ઓફિસરોની ધરપકડ કરાયાના અહેવાલ
મળ્યા હતા. સૂત્રો અનુસાર બંને ઓફિસરો CISFના છે જે
ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં ફરજ બજાવે છે. સોમવારે સવારે બંને 8:30 વાગ્યે
સરકારી ગાડીથી ડ્યૂટી પર જઈ રહ્યા હતા. બે કલાક થઈ જવા છતાં તેઓ પહોંચ્યા નહોતા.
મોડી રાત્રે ભારતના દબાણમાં આવી પાકિસ્તાને તેમને મુક્ત કર્યા હતા.
પાકિસ્તાની
મીડિયાના અહેવાલ અનુસાર બંનેની અકસ્માત મામલે ધરપકડ કરાઈ. ભારતીય વિદેશ મંત્રાલયે
પાકિસ્તાનના રાજદ્વારીને બોલાવીને આકરો વિરોધ નોંધાવ્યો હતો.