4 માળની ઇમારતના નિર્માણ વેળા બનેલી દુર્ઘટના
શહેરના
પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી
થઈ જતાં 9
વ્યક્તિ
દબાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.
પાણીગેટના
બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની ઇમારત ઓચિંતી ધરાશાયી થઈ ગઈ હતી, જેને પગલે 9 વ્યક્તિ કાટમાળ નીચે
દબાઈ ગઈ હતી. ધડાકાભેર ઇમારત તૂટી પડતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ અંગે જાણ
કરાતાં ફાયરબ્રિગેડે પળભરનો પણ વિલંબ કર્યા વિના LED લાઇટની મદદથી રેસ્ક્યૂ
ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 1 વાગ્યા સુધીમાં 9 પૈકી 1 બાળક સહિત 3ને રેસ્ક્યૂ કરાયા હતા, બાકીની 6 વ્યક્તિની શોધખોળ જારી
રખાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, દબાયેલી વ્યક્તિઓ
શ્રમજીવીઓ હતી. તેઓ સૂતા હતા ત્યારે જ ઇમારત તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
આ ઇમારતનું હાલમાં કામ ચાલી રહ્યું હતું. મધરાતે બાવામાનપુરા વિસ્તાર એમ્બ્યુલન્સ
અને ફાયરબ્રિગેડની ગાડીઓના સાઇરનથી ગુંજી ઊઠ્યો હતો. ઇમારતના ભોંયતળિયે આવેલા
સર્વિસ સ્ટેશનમાં પડેલી 2
કાર
સહિતનાં વાહનોનો પણ ખુરદો બોલી ગયો હતો. રેસ્ક્યૂ કરાયેલા 3 પૈકી બે યુવકોનાં મોત
થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.