1 એપ્રિલ 2021 ના નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ છે. દેશના સરકારી અને પ્રાઈવેટ કામકાજ નથી થયા. તે દિવસે કેટલીક બેન્કોના UPI અને IMPS ટ્રાન્જેક્શન ફેલ થયા. એવામાં ગ્રાહકના પૈસા પણ ફસાઈ ગયા
નવી દિલ્હી: UPI Payment
Failed: 1
એપ્રિલ
2021 ના નવા નાણાકીય વર્ષની
શરૂઆત થઈ છે. દેશના સરકારી અને પ્રાઈવેટ કામકાજ નથી થયા. તે દિવસે કેટલીક બેન્કોના
UPI અને IMPS ટ્રાન્જેક્શન ફેલ થયા.
એવામાં ગ્રાહકના પૈસા પણ ફસાઈ ગયા. અમે તમને જણાવી રહ્યા છીએ કે, જો તમારા UPI ટ્રાન્જેક્શન ફેલ થઈ ગયા
અને તમે સમયસર બેન્ક તેને તમારા એકાઉન્ટમાં પરત ના કરે તો તમારે શું કરવું.
1 એુપ્રિલ 2021 ના UPI પેમેન્ટ ફેલ થયા
The National Payments Corporation of India (NPCI) એ એક ટ્વીટમાં કહ્યું છે
કે, 1 એપ્રિલની સાંજ સુધી
મોટાભાગે બેન્કો સામાન્ય થઈ ગઈ હતી. ગ્રાહકોને અવિરત આઇએમપીએસ અને યુપીઆઇ સર્વિસ
મળવા લાગી હતી. પરંતુ તેમ છતાં ઘણા ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયા
પછી તેમના પૈસા પાછા મળ્યા નથી.
આ છે RBI ની ગાઈડલાઈન્સ
જો
તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેનો ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયા છે, તો તમારે ભારતીય રિઝર્વ
બેંક (RBI)
ની
ઓક્ટોબર 2019
ની
ગાઈડલાઈન્સ વિશે જાણવું જોઈએ, આ તમારી સમસ્યાને હલ કરી શકે છે. આ પરિપત્ર અંતર્ગત
પૈસાના ઓટો રિવર્સલને લઇને એક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો
ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ અથવા રિવર્સલ આ સમયમર્યાદામાં કરવામાં નહીં આવે, તો બેન્કે ગ્રાહકોને
વળતર ચૂકવવું પડશે. પરિપત્ર મુજબ, સમયમર્યાદા પૂરી થયા પછી, દરરોજ 100 રૂપિયાના દરે વળતર આપવું
પડશે.
પરિપત્ર
મુજબ, જો UPI ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય
અને ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપવામાં આવે, પરંતુ પૈસા લાભકર્તાના ખાતામાં પહોંચતા નથી, તો ઓટો રિવર્સલ
ટ્રાન્ઝેક્શન T+1
દિવસમાં
પૂર્ણ થવું જોઈએ. અહીં T
નો
અર્થ ટ્રાન્ઝેક્શનનો દિવસ અને +1 નો અર્થ એક દિવસ અથવા 24 કલાક હોઈ શકે છે.
અહીં કરી શકો છો ફરિયાદ
સૌ
પ્રથમ, તમારે સર્વિસ
પ્રોવાઈડરને ફરિયાદ કરવી જોઈએ. તમારે Raise Dispute જવું પડશે. અહીં તમારી
ફરિયાદ ફાઇલ કરો. આપની ફરિયાદ સાચી થવા પર પ્રદાતા પૈસા પાછા આપશે. જો ફરિયાદ કરવા
છતાં પણ બેન્ક તરફથી કોઈ જવાબ ન મળ્યો હોય, તો પછી તમે રિઝર્વ બેંકની ડિજિટલ ટ્રાંઝેક્શન 2019 ના ઓમ્બુડ્સમેન સ્કીમ
અંતર્ગત ફરિયાદ કરી શકો છો.