• Home
  • News
  • દિગ્ગજ એક્ટર લલિતા લાઝમીનું 90 વર્ષની વયે નિધન, આમિર ખાનની ફિલ્મમાં કર્યો હતો કેમિયો
post

લલિતા લાઝમીને હંમેશા એ વાતનો અફસોસ રહેતો હતો કે તે પોતાના ભાઈ ગુરુ દત્તને બચાવી શક્યા ન હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 18:05:52

બોલિવૂડમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. દિગ્ગજ દિવંગત એક્ટર ગુરુ દત્તના બહેન જાણીતા ચિત્રકાર લલિતા લાઝમીએ 90 વર્ષની વયે 13 ફેબ્રુઆરીના અંતિમ શ્વાસ લીધા હતા. લલિત લાઝમીના નિધનની જાણકારી ' જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશન'એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. લલિતાએ આમિર ખાનની ફિલ્મ ' તારે જમીન પર' માં કેમિયો કર્યો હતો.

જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશન'એ શ્રદ્ધાંજલિ આપી
લલિતા દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ શેર કરીને ફાઉન્ડેશન દ્વારા લખવામાં આવ્યું હતું કે, અમને તે જણાવતા ખુબ જ દુઃખ થાય છે કે, લલિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે, તેમને કોઈ પણ સંસ્થામાંથી ટ્રેનિંગ નથી લીધી, પોતાની જાતે શીખ્યું છે. લલિતાને ક્લાસિકલ ડાન્સમાં ખુબ જ રસ હતો. આર્ટવર્ક અને તેમના પરફોર્મન્સમાં એક ઉદાસી જોવા મળતી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સે લલિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ઘણાં યુઝર્સે લલિતાના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે, 'તે એક અદ્ભુત મહિલા અને સંવેદનશીલ કલાકાર હતા. હું તેમની પાસેથી ઘણું શીખ્યો. તેમની આત્માને શાંતિ મળે.તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'હું 3 દિવસ પહેલા તેમના પ્રદર્શનમાં ગયો હતો, તેમના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે.'

ભાઈને ન બચાવવાનો પસ્તાવો લલિતાને હંમેશા રહ્યો
લલિતા લાઝમીને હંમેશા એ વાતનો અફસોસ રહેતો હતો કે તે પોતાના ભાઈ ગુરુ દત્તને બચાવી શક્યા ન હતો. ટાઇમ્સ લિટફેસ્ટ દરમિયાન લેખક યાસિર ઉસ્માને આ વાતનો ખુલાસો કર્યો હતો.

ગુરુ દત્ત પર લખાયેલ પુસ્તક 'ગુરુ દત્તઃ એન અનફિનિશ્ડ સ્ટોરી' વિશે વાત કરતાં યાસિરે જણાવ્યું હતું કે, 'આ પુસ્તક માટે સંશોધન દરમિયાન ગુરુ દત્તની બહેન લલિતાએ કહ્યું હતું કે તે તેને બચાવી શકી હોત, તે મદદ માટે બૂમો પાડી રહી હતી. પરંતુ તે સમયે બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, તેને જીવનભર આ વાતનો અફસોસ રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, લલિતાજીએ બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આમિર ખાનની ફિલ્મ 'તારે જમીન પર' જે વર્ષ 2007માં રીલિઝ થઇ હતી, જેમાં ઈશાન નામના બાળકની કહાની દેખાડવામાં આવી હતી, ઈશાનને અભ્યાસમાં બિલકુલ રસ નહોતો તો આમિર ખાને શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે આ ફિલ્મના એક છેલ્લા સીનમાં લલિતા લાઝમી પણ જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં તે શાળાની ચિત્ર સ્પર્ધામાં મહેમાન તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો, પરંતુ ખૂબ જ ખાસ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post