અમે ઈચ્છીએ છીએ કે, દેશમાં 10 હજાર અંબાણી અને 20 હજાર અદાણી રહે.
નવી દિલ્હી: નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે દેશમાં
ખાનગી ક્ષેત્રના વિકાસને વિકાસ માટે જરૂરી ગણાવ્યું છે. G-20 દેશોની બેઠકમાં તેમણે
કહ્યું કે,
દેશના
વિકાસ માટે આપણને એક અંબાણી અને એક અદાણીની નહીં. પરંતુ 10 હજાર અંબાણી અને 20 હજાર અદાણીઓની જરૂર છે.
નીતિ
આયોગના ભૂતપૂર્વ CEO
એ
વધુમા કહ્યું કે,
આ
દેશોનું નહી પણ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન પણ છે. ભારતે આગામી ત્રણથી ચાર દાયકા
સુધી 9 થી 10 ટકાના દરે પ્રગતિ કરવાની
જરૂર છે. ખાનગી ક્ષેત્ર વગર ભારત પ્રગતિ કરી શકે તેમ નથી.
ભારત ઈચ્છે છે કે, ખાનગી ક્ષેત્રનો વિકાસ
થાય અને સમૃદ્ધ થાય. અમને અંબાણી કે અદાણીની જરૂર નથી. અમે ઈચ્છીએ છીએ કે, દેશમાં 10 હજાર અંબાણી અને 20 હજાર અદાણી રહે.
નીતિ
આયોગના ભૂતપૂર્વ CEO
એ
સ્પષ્ટપણે કહ્યું હતું કે,
ખાનગી
ક્ષેત્રની પ્રગતિ વિના દેશ પ્રગતિ કરી શકશે નહીં. આપણે તકોનો લાભ ઉઠાવવો પડશે.
તમારે તમારા ક્ષેત્રમાં વિસ્તરણ કરવું પડશે. આ એક એવી તક છે જે આપણને ફરી ક્યારેય
નહીં મળે.
આ દરમિયાન અમિતાભ કાંતે વિકાસના માર્ગમાં ભારતના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમિતાભ કાંતે કહ્યું,
'જો
ભારતે ત્રણ દાયકા સુધી 9થી 10 ટકા વૃદ્ધિ હાંસલ કરવી
હોય તો તમારે દર વર્ષે 30થી 40 ટકાના દરે વૃદ્ધિ કરવી
પડશે. ભારત માટે આ એક પડકાર છે. જો ખાનગી ક્ષેત્રનો વિકાસ ન થઈ શકે તો અમે માનીએ
છીએ કે, આ સંસ્થા એકલી સરકારોની
નથી. જો તમે લોકો વિકાસ નહીં કરો અને સમૃદ્ધ નહીં થાવ તો ભારતનો વિકાસ નહીં થાય.
તેમણે કહ્યું કે,
વૈશ્વિક
પડકારો વચ્ચે ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું
છે. આપણી કોઈપણ ક્રિયા ભવિષ્યમાં તકમાં ફેરવાઈ શકે છે.