મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 139 મોત
નવી દિલ્હી: શુક્રવારે
દેશમાં પહેલીવાર એકસાથે 10 હજારથી વધારે પોઝિટીવ દર્દીઓ મળ્યા હતા. 10,649 દર્દીઓ સાથે
કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,184 થઈ છે. આ સાથે જ કુલ પૉઝિટીવ દર્દીઓની ભારતની
સંખ્યા ઇટલી કરતાં વધી ગઈ છે. ઇટલીમાં 2.34 લાખ પોઝિટીવ
દર્દીઓ છે. શુક્રવારે ભારતમાં 334થી વધુ લોકોના
કોરોનાથી મોત થયા હતા. આ સાથે કુલ મોતનો આંક 6,649 થઈ ગયો છે.
પણ રાહતની વાત એ છે કે હજુ દેશમાં મરણાંક 2.9 ટકા જ છે.
જ્યારે વિશ્વમાં આ દર 5.8 ટકા છે. શુક્રવારે 4,833 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર
સુધી દેશમાં કુલ 1.13 લાખ દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ચૂક્યાં છે.
મહારાષ્ટ્રમાં એક
જ દિવસમાં સૌથી વધુ 139 મોત
દેશમાં સૌથી વધુ સંક્રમિત એવા મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી 139 લોકોના મોત
નિપજ્યાં હતાં. રાજ્યમાં કુલ 2,849 દર્દીઓના મોત
નિપજી ચૂક્યાં છે. 2,536 દર્દીઓ સાથે રાજ્યમાં કુલ 80,229 લોકો
સંક્રમિત થઈ ચૂક્યા છે. આ તરફ તામિલનાડુમાં 1,438 વધુ દર્દીઓ
મળ્યા છે. વધુ 12 લોકોના મોત સાથે કુલ મરણાંક 232 થયો છે.