2 વર્ષનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી પણ, આવા ખેલાડીઓ બોર્ડ અથવા રાજ્ય ક્રિકેટ એસોસિએશનની કોઈપણ વય જૂથ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં
BCCIએ ક્રિકેટમાં ઉંમર અને ડોમિસાઈલને લગતી છેતરપિંડીને રોકવા
માટે કડક પગલાં લીધાં છે. આ અંતર્ગત જો કોઈ ખેલાડી 2020-21 સીઝન
દરમિયાન બનાવટી બર્થ (જન્મ) અને ડોમિસાઇલ (રહેઠાણ) સર્ટિફિકેટ બનાવવા માટે દોષી
સાબિત થાય છે, તો તેના પર 2 વર્ષ માટે
પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સમય દરમિયાન તે BCCI અથવા સ્ટેટ
ક્રિકેટ એસોસિએશનને લગતી કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં.
2 વર્ષનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી પણ, આવા ખેલાડીઓ બોર્ડ અથવા રાજ્ય ક્રિકેટ એસોસિએશનની કોઈપણ વય
જૂથ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. તે જ સમયે, હવે BCCIની અંડર -16 એજ ગ્રુપ ટૂર્નામેન્ટમાં ફક્ત 14થી 16 વર્ષની ઉંમરના બાળકોની નોંધણી કરવામાં આવશે.
રજિસ્ટર્ડ ક્રિકેટરો માટે વોલેન્ટરી ડિસક્લોઝર સ્કીમ શરૂ
·
BCCIએ ખોટી ઉંમર બતાવીને ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે વોલેન્ટરી
ડિસક્લોઝર સ્કીમ શરૂ કરી છે.
·
આ અંતર્ગત, ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવશે નહીં જો તેઓ જાતે જાહેર
કરે કે તેઓએ અગાઉ તેમની જન્મ તારીખ સાથે બનાવટી અથવા ચેડાં કરાયેલા દસ્તાવેજો રજૂ
કરીને હેરાફેરી કરી છે.
·
જો તેઓ
તેમની સાચી જન્મ તારીખ જાહેર કરે છે, તો તેઓને
યોગ્ય એજ ગ્રુપમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
બોર્ડને 15 સપ્ટેમ્બર સુધીમાં ઉંમરની યોગ્ય માહિતી પ્રદાન કરવી આવશ્યક છે
·
આ માટે, ખેલાડીઓએ 15 સપ્ટેમ્બર પહેલા તેમના સહી
કરેલા પત્ર અથવા ઇ-મેઇલ સાથે, તેમની સાચી ઉંમરથી સંબંધિત
દસ્તાવેજો BCCIના એજ વેરિફિકેશન ડિપાર્ટમેન્ટને મોકલવાના રહેશે.
·
જો કે, જો નોંધાયેલા ખેલાડીઓ તથ્યો જાહેર કરતા નથી અને BCCIને લાગે છે કે તેમણે બનાવટી અથવા ચેડાં કરેલા દસ્તાવેજો
બનાવ્યા છે, તો તેમના પર 2 વર્ષનો
પ્રતિબંધ લગાવવામાં આવશે.
બોર્ડ દ્વારા લેવામાં આવેલા અન્ય પગલાં
·
વોલેન્ટરી
ડિસક્લોઝર સ્કીમનો ફાયદો માત્ર ફેક બર્થ સર્ટિફિકેટ મામલે મળશે. ડોમિસાઇલ
સર્ટિફિકેટમાં કોઈપણ પ્રકારની છૂટ મળશે નહિ.
·
દોષી સાબિત
થવા પર મહિલા અને પુરુષ બંને પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં
આવશે.
·
હવે BCCIની અંડર -16 એજ ગ્રુપ ટૂર્નામેન્ટમાં ફક્ત 14 થી 16 વર્ષની ઉંમરના બાળકોની નોંધણી કરવામાં આવશે.
·
અંડર-19 એજ ગ્રુપમાં જો કોઈ ખેલાડીનું રજિસ્ટ્રેશન તેના જન્મના 2 વર્ષ પછી બતાવવામાં આવે છે, તો આવામાં
તે કેટલા વર્ષ ટૂર્નામેન્ટ રમશે, તેના પર પ્રતિબંધ મુકવામાં
આવશે.
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
·
આ મુદ્દે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે અમે દરેક એજ
ગ્રુપના ખેલાડીઓને એક સ્તરની સ્પર્ધા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
·
તેથી, અમે વય-સંબંધિત છેતરપિંડીને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે
વધુ કડક પગલાં લીધાં છે, જેને નવી ઘરેલુ સીઝનમાં લાગુ કરવામાં આવશે.
·
જે લોકો
તેમની ભૂલ વિશે માહિતી આપશે નહીં, તેઓ પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે.
·
ક્રિકેટમાં
ભ્રષ્ટાચાર અને વય-સંબંધિત કપટને રોકવા માટે BCCIએ ગયા વર્ષે
24 કલાકની હેલ્પલાઇન જારી કરી છે. કોઈપણ આ નંબર પર ફરિયાદ કરી
શકે છે.