• Home
  • News
  • કોરોનાથી વધુ 5 મોત, 225 દિવસ બાદ નોંધાયા રેકોર્ડ 797 કેસ, JN.1ના 145 કેસ, જાણો નવા વેરિયન્ટના લક્ષણ
post

કોરોનાથી છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2, મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં 1-1 દર્દીના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-29 16:35:38

Covid-19 Total Case in India : દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ JN.1ના કુલ 145 કેસો સામે આવી ચુક્યા છે. બીજીતરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

કેરળમાં 2, મહારાષ્ટ્ર-પુડુચેરી-તમિલનાડુમાં 1-1નું મોત

આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 797 નવા કેસો નોંધાયા છે, જે 225 દિવસ બાદ સૌથી વધુ છે. અગાઉ 19 મેએ દેશમાં કોરોનાના 865 કેસ નોંધાયા હતા. હાલ સક્રિય કેસોની સંખ્યા 4091 છે. મંત્રાલય દ્વારા આજે સવારે 8 કલાકે અપાયેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં વધુ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે, જેમાંથી કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં 1-1નું મોત નિપજ્યું છે.

JN.1 સબ-વેરિયન્ટ શું છે ?

દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.

JN.1ના લક્ષણો ?

સીડીસીના જણાવ્યા મુજબ કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી પીડિત દર્દીમાં તાવ, ઠંડી લાગવી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથું દુઃખવું, સ્નાયુમાં દુ:ખાવો, સ્વાદ અથવા ગંધ પારખવામાં સમસ્યા, ગળામાં ખરાશ, નાક વહેવું, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જોકે કેટલાક કેસોમાં લક્ષણો દર્દીની ઈમ્યૂનિટી પર નિર્ભર છે.

સ્વસ્થ થયા બાદ પણ લક્ષણોનવા વેરિયન્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, સ્વસ્થ થવા છતાં દર્દીમાં લક્ષણો યથાવત્ રહે છે, જેમાં માથું દુઃખું, થાક લાગવો, શ્વાસની સમસ્યા સામેલ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ઓછામાં ઓછા 4થી 6 અઠવાડિયા બાદ દર્દી આ લક્ષણોમાંથી બહાર આવે છે.


adv

Related News

post
post
post
post
post
post
post