આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે
નવી દિલ્હી: પૈડું, ઉદ્યોગ, એન્ટિબાયોટિક ગર્ભ નિરોધક, રસીકરણ, પોષણ અને સાક્ષરતા આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે અને તેમાં માનવ વસ્તીની
સંખ્યા 776 કરોડ 70 લાખ થઇ છે.
આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે
અહીં છે
·
પૈડું જેણે
આપણને ગતિ આપી: 2 લાખ વર્ષ પહેલા આફ્રિકામાં હોમોસેપિયન્સ એટલે કે આપણા
પૂર્વજો જન્મ્યા. 5500 વર્ષ પહેલાં માણસે પૈડું બનાવ્યું અને વસ્તીને મહાદ્વીપમાં
પહોંચાડી.
·
ઉદ્યોગ જેણે
શહેર વસાવ્યાં: 17મી અને 18મી સદીમાં બ્રિટનમાં શરૂ થયેલી
ઔદ્યોગિક ક્રાંતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ. તેનાથી રોજગારી મળી. માણસે નવા શહેર
વસાવ્યાં.
·
એન્ટિબાયોટિક
જેણે વય વધારી: 1928માં માણસે એન્ટિબાયોટિકની શોધ કરી. આથી રોગપ્રતિકારક ક્ષમતા
વધી. સરેરાશ ઉંમર 40 વર્ષથી વધી આજે 72 વર્ષના
સ્તરે પહોંચી.
·
ગર્ભ નિરોધક
જેણે જન્મદર ઘટાડ્યો: 1960માં માણસે ગર્ભનિરોધક દવા બનાવી. 60ના દાયકામાં મહિલા 5 બાળકોને
જન્મ આપતી હતી. આજે આંકડો 2.1 છે
·
રસીકરણ જેથી
બાળકો સુરક્ષિત: વૈશ્વિક રસીકરણ પ્રયાસોને કારણે 1980 પછી બાળમૃત્યુદર પર અંકુશ આવ્યો. 1980-90માં 1 હજારમાંથી 65 બાળકોના મોત થતાં હતાં. હવે આ 29ના સ્તરે છે.
·
પોષણ જેથી
માતા સ્વસ્થ: 1990માં 1 લાખ માતાઓમાંથી 400નાં મોત બાળકના જન્મ સમયે જ થઈ જતાં હતાં. 2010માં આ સંખ્યા 210 થઈ ગઈ. દર
વર્ષે 3.1 ટકાનો ઘટાડો થયો.
·
સાક્ષરતા જે
જાગૃતિ લઈ આવ્યું: લગભગ 50 વર્ષથી દુનિયામાં વસ્તી
વૃદ્ધિદર ઘટી રહ્યો છે. તેમાં મોટી ભૂમિકા સાક્ષરતાની છે.
વિશ્વમાં વસ્તી વધારો
·
18મી સદીમાં 100 કરોડ વસ્તી
·
20મી સદીમાં 200 કરોડ વસ્તી
·
1960માં 300 કરોડ વસ્તી
·
1974માં 400 કરોડ વસ્તી
·
1987માં 500 કરોડ વસ્તી
·
1999માં 600 કરોડ વસ્તી
·
2011માં 700 કરોડ વસ્તી
પોપ્યુલેશન વોચ
·
દુનિયામાં 776 કરોડ 70 લાખ
·
ભારતમાં 138 કરોડ 3 લાખ
·
દુનિયાની
વસ્તીમાં ભારતનો હિસ્સો 17.7 ટકા