બસમાં 50 મુસાફરો સવાર હતા, કોલકાતા જતી વખતે જાજપુરમાં સર્જાયો અકસ્માત
Written By newsonline | Ahmedabad | Published: 2024-04-16 11:14:24
ઓડિશા: ઓડિશાના જાજપુર
જિલ્લામાં ગઈરાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. કોલકાતા જતી બસ પુલ પરથી નીચે
ખાબકી હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે-16 પર બારાબતી પુલ પર
રાત્રે 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. બસમાં 50 મુસાફરો હતા અને બસ
પુરીથી કોલકાતા જઈ રહી હતી.
આ અકસ્માતમાં ચાર પુરૂષ
અને એક મહિલાના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે ચાલીસ લોકો ઘાયલ છે અને તેમાંથી 30ને કટક એસસીબી મેડિકલ
કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નવીન
પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાના વળતરની
જાહેરાત કરી હતી.