• Home
  • News
  • ઓડિશામાં મોડીરાત્રે બ્રિજ પરથી બસ નીચે ખાબકી, 5 મુસાફરોના ઘટનાસ્થળે મોત
post

બસમાં 50 મુસાફરો સવાર હતા, કોલકાતા જતી વખતે જાજપુરમાં સર્જાયો અકસ્માત

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-16 11:14:24

ઓડિશા: ઓડિશાના જાજપુર જિલ્લામાં ગઈરાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. કોલકાતા જતી બસ પુલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે-16 પર બારાબતી પુલ પર રાત્રે 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. બસમાં 50 મુસાફરો હતા અને બસ પુરીથી કોલકાતા જઈ રહી હતી.

આ અકસ્માતમાં ચાર પુરૂષ અને એક મહિલાના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે ચાલીસ લોકો ઘાયલ છે અને તેમાંથી 30ને કટક એસસીબી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post