મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના મૃત્યુનું કારણ ડ્રગ્સનું ઓવરડોઝ હોઈ શકે છે.
મુંબઈ: લોકપ્રિય એક્ટર અને કાસ્ટિંગ
ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું અવસાન થયું છે. આદિત્યની લાશ તેના મુંબઈના અંધેરી
સ્થિત ઘરના બાથરૂમમાંથી શંકાસ્પદ સ્થિતિમાં મળી આવી છે. આદિત્યના મિત્ર અને
બિલ્ડિંગનો ચોકીદાર તેને હોસ્પિટલ લઈ ગયા હતા,
પરંતુ અહીંયા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ
અનુસાર, તેના મૃત્યુનું કારણ ડ્રગ્સનું ઓવરડોઝ હોઈ શકે છે. આદિત્ય સિંહ રાજપૂત
દિલ્હીનો હતો. તેણે 'મૈંને ગાંધી કો નહીં મારા' અને 'ક્રાંતિવીર' જેવી ફિલ્મમાં કામ
કર્યું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.
આદિત્ય 300 થી વધુ જાહેરાતોમાં
જોવા મળ્યો હતો. તે રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા'માં પણ જોવા મળ્યો હતો.
તેણે ગઈ કાલ એટલે કે 21 મેની રાત્રે જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, આ તસવીરો દર્શાવે છે કે
તે મૃત્યુના થોડા કલાકો પહેલા પાર્ટી કરી રહ્યો હતો.
આ રીતે થઇ શરૂઆત
આદિત્યએ 17 વર્ષની નાની ઉંમરથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. આદિત્યના દાદા મૂળે
ઉત્તરાખંડના રહેવાસી હતા. ત્યારબાદ તેનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો હતો. આદિત્યને એક
મોટી બહેન છે. શરૂઆતમાં એણે રેમ્પ વૉક કર્યું અને પછી એડ ફિલ્મો મળવા લાગી. એક
દિવસ એણે ‘હીરો’
કંપનીની એડ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને સૌરવ
ગાંગુલી તથા હૃતિક રોશન સાથેની ‘હીરો હોન્ડા’ની એડમાં કામ કરવા મળ્યું હતું. તેના ઑડિશન માટે જ એ મુંબઇ આવેલો અને પછી
ત્યાં જ સ્થાયી થવાનો નિર્ણય કરેલો.