વનવિભાગ દ્વારા સિંહોને પીવાના પાણી માટે કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવે છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:46:45
લીલીયા: લીલીયા ખારાપાટ
વિસ્તારના શેત્રુજી નદી તેમજ આસપાસના ગામોમા 40થી વધુ
સાવજો વસવાટ કરી રહ્યાં છે. ઉનાળા દરમિયાન તો અહી વનવિભાગ દ્વારા સિંહોને પીવાના
પાણી માટે કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવે છે. જો કે હાલ મેઘમહેર થતા
શેત્રુજી નદીમાં પુર આવતા અહીના સાવજોને લીલા લહેર થઇ ગયા છે. વરસાદ બાદ પટમાં
ખિલેલી હરીયાળીને સાવજો મનભરીને માણી માણી રહ્યા છે.