કોરોનાના કેસ વધતાં ઘણા રાજ્યોએ વિકએન્ડમાં લૉકડાઉનનો નિર્ણય લીધો
નવી દિલ્હી: કોરોનાના કેસ વધતાં
દેશના ઘણાં રાજ્યોના મોટા શહેરોમાં રવિવારે કડક લૉકડાઉન રખાયું. ભોપાલ, લખનઉ, બેંગ્લુરુ અને ચેન્નઇ
જેવા શહેરોના રસ્તા લૉકડાઉનના કારણે સૂમસામ રહેતાં એપ્રિલ-મે દરમિયાન દેશભરમાં
લાગુ કરાયેલા લૉકડાઉનની યાદ તાજી થઈ.
ઉત્તર
પ્રદેશમાં યોગી સરકારે વિકએન્ડમાં સંપૂર્ણ લૉકડાઉનનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત રાજ્યમાં હવે
વેપાર-ધંધા,
ઓફિસો
અને બજારો અઠવાડિયાના પાંચ દિવસ જ ખૂલશે, શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. જોકે, તે દરમિયાન જીવનજરૂરી
સેવા ચાલુ રહેશે. અહીં શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન શરૂ
થઇ ચૂક્યું છે. 55
કલાકના
લૉકડાઉનની અસર બજારોમાં પણ દેખાઇ.
નોઇડા
સહિત રાજ્યના મોટા ભાગના શહેરોના મોટા બજાર સંપૂર્ણપણે બંધ રહ્યા. માત્ર જીવનજરૂરી
ચીજોની દુકાનો જ ખુલી. જોકે, આ લૉકડાઉનમાં ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે.