• Home
  • News
  • આગની ઘટના / ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગને લીધે 50 કરોડ વન્યજીવોના મોત! વડાપ્રધાનની બે અરબ ડોલરના પેકેજની જાહેરાત
post

આગને લીધે કોઆલા નામના પશુની વસ્તી અડધો અડધ થઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 10:29:32

ઓસ્ટ્રેલિયા : જંગલોમાં લાગેલી ભીષણ આગ સતત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આગને ઓલવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી આગ પર અંકૂશ મેળવી શકાયો નથી. આશરે 4 મહિનાથી લાગેલી આગમાં ઓછામાં ઓછા 50 કરોડ પશુ-પક્ષીઓ સળગીને મૃત્યુ પામ્યા છે અથવા તો ગંભીર રીતે ઈજા પામ્યા છે. આગની સૌથી વધારે અસર કોઆલા (જાનવરોની એક પ્રજાતિ) પર થઈ છે. એવું પણ માનવામાં આવે છે કે આગથી કોઆલાની વસ્તુ ઘટીને અડધો અડધ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જંગલોમાં લાગેલી ભીષણ આગને લીધે મકાન અને આજીવિકા ગુમાવી ચુકેલા લોકોને રાહત પહોંચાડવા માટે આશરે બે અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. રકમ નેશનલ બુશફાયર રિકવરી એસન્સીના માધ્યમથી ખર્ચ કરવામાં આવશે. એજન્સીની રચના સંઘિય પોલિસના ભૂતપુર્વ એર્ન્ડ્યુ કોલ્વિનની અધ્યક્ષતામાં કરાવમાં આવી છે. તેઓ જંગલમાં લાગેલી આગની અસર ધરાવતા લોકોને મદદરૂપ બનશે.


નાશાના ડેટાને આધારે આગનું વર્ણન કરતું ડિઝાઈન તૈયાર કરાઈ

ઓસ્ટ્રેલિયામાં આગની સ્થિતિએ કેટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે તે અંગે એક ગ્રાફિક જાહેર કરવામાં આવ્યો છે. નિષ્ણાતોએ પણ સાથે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે આગની ભયાનકતાનો હજુ કોઈ અંત દેખાતો નથી.

 

 

ગત વર્ષની 5મી ડિસેમ્બર અને 5મી જાન્યુઆરી વચ્ચેના સમયગાળામાં દેશમાં આગની કેટલી વિકટ સ્થિતિ સર્જાઈ હતી તે અંગે નાસાના સેટેલાઈટમાંથી મહેલી માહિતીનો ઉપયોગ કરીને ગ્રાફિક તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રાફિકમાં આગની સૌથી વધારે આગની ભયાનકતા ન્યુ સાઉથ વોલ્સ અને વિક્ટોરિયામાં દેખાય છે, વિસ્તારોમાં 2,000 કરતાં વધારે મકાને ભારે નુકસાન થયું છે અથવા તો બળીને ખાખ થઈ ગયા છે. ગ્રાફિકની રચના એન્થની હેર્સીએ કહી છે, તેમણે આગને 3D વિઝ્યુલાઈઝેશનમાં રજૂ કરી છે, અને તે વાસ્તવિક ફોટોગ્રાફ નથી.

આગને વધારે પ્રકાશ અને ચમકને લીધે તેમાં થોડી અતિશયોક્તિ જણાય છે, પરંતુ નાસાની વેબસાઈટ પરથી જે માહિતી મળી છે તે પણ ખરી છે. ગ્રાફિકમાં દેખાતો તમામ હિસ્સો બળી રહ્યો નથી પરંતુ ભાગોને યોગ્ય સ્થિતિમાં સંકલિત કરવામાં આવી રહ્યા છે.

આગની ઘટનામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને દેશભરમાં આશરે 6 મિલિયન હેક્ટર જમીન ઉજ્જડ થઈ ગઈ છે- ઉજ્જડ થયેલો જમીની ભાગ એટલો વિશાળ છે કે જે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ જેટલું કદ ધરાવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post