બેઇજિંગમાં સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શન જોવા દરમિયાન પાર્ટીના પોલિતબ્યૂરોના 25 સભ્યોની આગળ ઉભેલા શીએ શુક્રવારે શપથ અપાવ્યા, જેનું સરકારી ટેલીવિઝન ચેનલો પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.
બેઇજિંગઃ ચીનમાં સત્તામાં રહેલી
કોમ્યુનિસ્ટ પાર્ટીના શતાબ્દી સમારોહ પહેલાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાહેરમાં
પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ અપાવ્યા અને તેમના મુખ્ય નેતૃત્વને માનવા
અને દેશના આધુનિકીકરણની સાથે રાષ્ટ્રીય કાયાકલ્પ માટે કામ કરવાનું આહ્વાન કર્યું
છે. ડિસેમ્બર 2012માં પદ સંભાળ્યા બાદથી
શીને સત્તાવાર રીતે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) ના મુખ્ય નેતા જાહેર
કરવામાં આવ્યા છે. ચીની રાષ્ટ્રપતિ દ્વારા વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ અપાવવાથી
તે સવાલ ઉઠી રહ્યો છે કે શું તેમને બળવાની આશંકા છે?
બેઇજિંગમાં
સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શન જોવા દરમિયાન પાર્ટીના પોલિતબ્યૂરોના 25 સભ્યોની આગળ ઉભેલા શીએ
શુક્રવારે શપથ અપાવ્યા,
જેનું
સરકારી ટેલીવિઝન ચેનલો પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયનું હાલમાં
ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે શીની સાથે નંબર-2 નેતા પ્રધાનમંત્રી લી
ક્વિંગ પણ હાજર હતા.
માઓત્સેતુંગ
બાદ શી ચીનના સૌથી તાકાતવાર નેતા બનીને ઉભર્યા છે. માઓ દ્વારા 1921માં સ્થાપીત આશરે 9 કરોડ સભ્યવાળી સીપીસી 1949માં પીપુલ્સ રિપબ્લિક ઓફ
ચાઇના (પીઆરસી)ની રચના બાદ સત્તા પર છે. શતાબ્દી સમારોહનું આયોજન 1 જુલાઈએ કરવામાં આવશે અને
પાર્ટીએ આ તકે સૈન્ય પરેડ સહિત ઘણા આયોજનોની યોજના બનાવી છે.
પાર્ટી
પોતાના સ્થાપના શતાબ્દી સમારોહની ઉજવણી તે સમયે કરી રહી છે, જ્યારે કોવિડ-19ના ઉદ્ભવ, શિનજિયાંગ, હોંગકોંગ અને તિબેટમાં
માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપોને લઈને ચીનની પ્રત્યે વૈશ્વિક વિરોધ વધી રહ્યો છે.
શી (67) એ ડિસેમ્બર 2021માં પોતાના પૂર્વવર્તી
હૂ જિનતાઓ પાસેથી સત્તા સંભાળી હતી અને પાર્ટી, શક્તિશાળી સેના પર પોતાના નેતૃત્વને તેમણે ઝડપથી
મજબૂતી આપી અને રાષ્ટ્રપતિને મુખ્ય નેતાનું શીર્ષક આપવામાં આવ્યું, જેની સાથે સામૂહિક નેતૃત્વની
વાત પાછળ રહી ગઈ છે.
પ્રદર્શનીમાં
પોતાના ભાષણમાં ચીની રાષ્ટ્રપતિએ સીપીસીના સભ્યોને પાર્ટીના ઈતિહાસથી શક્તિ ગ્રહણ
કરવા અને ચીનના આધુનિકીકરણ અને રાષ્ટ્રીય કાયાકલ્પ માટે પ્રયાસ કરવાનું આહ્વાન
કર્યું છે. સરકારી શિન્હુઆ સંવાદ સમિતિ પ્રમાણે, તેમણે કહ્યું, 'તેમના માટે તે જરૂરી છે
કે રાજનીતિક અખંડતાને યથાવત રાખવા વિશે તે પોતાની જાગરૂકતાને વધારે અને મોટા પાયા
પર વિચારે,
નેતૃત્વના
મૂળનું પાલન કરે અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની સાથે તાલમેલ બનાવી રાખે.'