હજારેક જેટલા સ્વસ્થ લોકો પર તબીબી દેખરેખ સાથે રસી પરીક્ષણની શરૂઆત
ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, હૈદરાબાદ ખાતે હાલ કોરોના સામે લડત
આપે તેવી રસી કોવેક્સિન-TM નામની
રસી વિકસાવાઇ છે. હાલ તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તેમાં આ
કંપનીએ વિવિધ રાજ્યોમાં તેનું બહોળા પ્રમાણમાં પરીક્ષણ થઇ શકે તેથી જે-તે રાજ્યોની
સરકારો પાસે અનુમતિ માંગી હતી. ગુજરાત સરકારે હાલ આ રસીના પરિક્ષણ એટલે કે ટ્રાયલ
માટે રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ ટ્રાયલ શરુ કરવા માટે
પરવાનગી આપી છે.
રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ દિવ્ય ભાસ્કર સાથે
વાત કરતાં જણાવ્યું કે આ કંપની મોટા પાયે પરિક્ષણ કરવા માંગતી હોઇ તેણે ગુજરાત
સરકારનો સંપર્ક સાધ્યો હતો. સરકાર તરફથી હાલ પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન સંસ્થાઓમાં
ટ્રાયલ માટેની મંજૂરી અપાઇ છે. આ પરિક્ષણ કોરોના દર્દી નહીં પરંતુ સ્વસ્થ વ્યક્તિ
પર કરવાનું રહેશે. જેના શરીરમાં પહેલાં કોરોના વાઇરસ દાખલ કર્યા બાદ તેના પર રસીની
અસરો અંગે ચકાસણી થશે. જેથી પરિક્ષણમાં જનારી વ્યક્તિની મંજૂરી લેવાનું પણ જરૂરી
રહેશે, પરંતુ
પૂરતી ચકાસણી અને વ્યવસ્થા સાથે જ આ પરિક્ષણ થશે, જેથી કોઇનું સ્વાસ્થ્ય જોખમાય
નહીં.
હાલ કેટલાં લોકો પર આ પરિક્ષણ કરવામાં આવશે તે અંગે જોકે
શિવહરે એ કોઇ સ્પષ્ટતા કરી ન હતી. જો કે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર
ત્રીજા ફેઝના આ ટ્રાયલમાં ગુજરાતમાંથી અંદાજે પાંચસોથી એક હજાર લોકો પર પરિક્ષણ
કરાઇ શકે છે. જો કે તેનો આધાર સંપૂર્ણપણે પરિક્ષણ માટે મળી રહેનારા લોકો પર રહેશે.
કઇ કઇ હોસ્પિટલોમાં ટ્રાયલ
·
બી જે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ
·
જીએમઇઆરએસ સંલગ્ન મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદ
·
જીએમઇઆરએસ સંલગ્ન મેડિકલ કોલેજ,ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
·
ડૉ. એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, ચાંદખેડા
·
એસજીવીપી સંલગ્ન મેડિકલ કોલેજ, અમદાવાદ