બીજા નંબરે રહેલા ગુજરાતમાં 11,380 લોકો કોરોનાથી સંક્રમિત છે
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 95,698એ પહોંચી છે. અને 3,025 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે
સંક્રમિતોનો આંકડો 33 હજારને પાર થયો છે. તો બીજા નંબરે રહેલા
ગુજરાતમાં 11,380
લોકો કોરોનાથી
સંક્રમિત છે.
રવિવારે દેશમાં સૌથી વધારે 5015 સંક્રમિત મળ્યા હતા તો બીજી તરફ 2538 લોકો સારવાર બાદ સાજા પણ થયા હતા.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2347
લોકોનો રિપોર્ટ
પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા 33 હજારને પાર થઈ ગઈ છે.
રાષ્ટ્રપતિ ભવન સુધી કોરોનાનો પગપેસારો
દિલ્હી પોલીસના
જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ ભવનમાં તહેનાત એક એસીપીનો રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે. તેમની ઉંમર 58 વર્ષ છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં પોલીસ લાઈનમાં રહેતો હતો. 13મેના રોજ એસીપી સહિત પાંચ પોલીસકર્મીઓનો કોરોના
ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદથી જ તમામ પોલીસકર્મી ક્વૉરન્ટીનમાં હતા.
પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ
આવ્યા
દિવસ |
કેસ |
17 મે |
5015 |
16 મે |
4792 |
10 મે |
4311 |
14 મે |
3943 |
15 મે |
3736 |
દેશના રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સ્થિતિ
રાજ્ય |
કેટલા સંક્રમિત |
કેટલા સાજા થયા |
કેટલા મોત |
મહારાષ્ટ્ર |
33053 |
7668 |
1198 |
ગુજરાત |
11380 |
4499 |
659 |
તમિલનાડુ |
11224 |
4172 |
79 |
દિલ્હી |
9755 |
4202 |
148 |
રાજસ્થાન |
5202 |
3055 |
131 |
મધ્યપ્રદેશ |
4977 |
2403 |
248 |
ઉત્તરપ્રદેશ |
4464 |
2636 |
112 |
પશ્વિમ બંગાળ |
2677 |
959 |
238 |
આંધ્રપ્રદેશ |
2380 |
1456 |
50 |
પંજાબ |
1964 |
1366 |
35 |
તેલંગાણા |
1551 |
992 |
34 |
બિહાર |
1320 |
473 |
08 |
જમ્મુ-કાશ્મીર |
1183 |
575 |
13 |
કર્ણાટક |
1147 |
509 |
37 |
હરિયાણા |
910 |
562 |
14 |
ઓરિસ્સા |
828 |
220 |
04 |
કેરળ |
602 |
497 |
04 |
ઝારખંડ |
223 |
113 |
03 |
ચંદીગઢ |
191 |
51 |
03 |
ત્રિપુરા |
165 |
85 |
00 |
આસામ |
101 |
42 |
02 |
ઉત્તરાખંડ |
92 |
52 |
01 |
છત્તીસગઢ |
85 |
59 |
00 |
હિમાચલ પ્રદેશ |
80 |
40 |
03 |
લદ્દાખ |
43 |
24 |
00 |
આંદામાન- નિકોબાર |
33 |
33 |
00 |
ગોવા |
29 |
07 |
00 |
પુડ્ડચેરી |
16 |
09 |
00 |
મણિપુર |
07 |
02 |
00 |
મેઘાલય |
13 |
11 |
01 |
મિઝોરમ |
01 |
01 |
00 |
અરુણાલચ પ્રદેશ |
01 |
01 |
00 |
દાદરા નગર હવેલી |
01 |
01 |
00 |
પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ4977- અહીંયા રવિવારે 187 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ઈન્દોરના 92, ભોપાલના 38, ઉજ્જૈનના 33, અને ગ્વાલિયરના 10 દર્દી સામેલ છે. સોમવારેથી લોકડાઉન-4ના નિયમ લાગુ થઈ જશે. રાજ્ય સરકારે કેન્દ્રને
ઝોનની પરિભાષા બદલવાને પ્રસ્તાવ મોકલ્યો છે. જેના હિસાબથી ઈન્દોર, ભોપાલ અને ઉજ્જેન રેડ ઝોનમાં હોઈ શકે છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ33053- રાજ્યમાં
રવિવારે સૌથી વધારે 2347 સંક્રમિત મળ્યા હતા. માત્ર મુંબઈમાં જ 1595 નવા દર્દી
વધ્યા છે. અહીંયા દર્દીઓનો આંકડો 20 હજાર 150 થઈ ચુક્યો
છે. મુંબઈ અને પૂણેમાં કેન્દ્રીય સુરક્ષાબળોની તહેનાત શરૂ થઈ ગઈ છે. પૂણેના ઘણા
વિસ્તારોમાં સુરક્ષા બળોએ શનિવારે પગપાળા માર્ચ પણ કરી હતી. રાજ્યમાં કોરોનાથી 1198 લોકોના મોત
થયા હતા.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ 4464- રાજ્યમાં રવિવારે 206 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા મેના એક સપ્તાહમાં એક દિવસમાં 177 દર્દી મળ્યા હતા. મૃતકોની સંખ્યા 112 થઈ ગઈ છે. રાજ્યમાં બીજા રાજ્યોમાંથી અત્યાર સુધી 16.5 લાખથી વધુ પ્રવાસી પહોંચ્યા છે.
રાજસ્થાન, સંક્રમિતઃ5202- અહીંયા
રવિવારે 242 નવા દર્દી મળ્યા હતા. જયપુરમાં 60, જોધપુરમં 43, ડૂંગરપુરમાં
18, ઉદેયપુરમાં 17, પાળીમાં 14, ચુરુમાં 13, રાજસંમદમાં 10, સકરમાં 07, બિકાનેરમાં 05, કોટા અને ઝૂંઝનૂમાં 2 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 13 લોકોના મોત
થયા છે.
દિલ્હી, સંક્રમિતઃ9755- અહીંયા રવિવારે 422 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 19 લોકોના મોત થયા હતા. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5405 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 4202 દર્દી સાજા થયા છે.
બિહાર, સંક્રમિતઃ1320- રાજ્યમાં રવિવારે 142 નવા દર્દી સામે આવ્યા હતા.
અત્યાર સુધી 473 દર્દી સજા થઈ ચુક્યા છે, જ્યારે 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં
10 દિવસ પહેલા રિકવરી રેટ 55% સુધી પહોંચી ગયો હતો, પણ પ્રવાસી મજૂરોના પાછા
આવ્યા બાદ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી અને આનાથી રિકવરી રેટ ઘટીને 38% પર આવી ગયો હતો.