હવામાન વિભાગે કહ્યું, છેલ્લા 6 કલાકમાં અમ્ફાન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ઝડપથી વધી રહ્યો છે
તોફાન અમ્ફાન હવે
તીવ્ર બની રહ્યું છે. ખાડીના મધ્ય ભાગમાં તેનું સ્વરૂપ રવિવારની
રાત્રે 2.30 વાગ્યાથી મોટું થવાનું શરૂ થયું છે. ભારતીય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 6 કલાકમાં
તોફાન ખાડીના દક્ષિણ વિસ્તારથી ઉત્તરપૂર્વ તરફ વળી ગયો છે. અહીં પશ્ચિમ બંગાળ અને
બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો છે. 20 મેની બપોર
સુધીમાં આ તોફાન પશ્ચિમ બંગાળના દીધા અને બાંગ્લાદેશમાં હટિયા આઇલેન્ડ પર હાવી થઈ
શકે છે. આ સમય દરમિયાન તેની ગતિ પ્રતિ કલાક 195 કિલોમીટર
હોવાનો અંદાજ છે. ચક્રવાતની અસરને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના
વિસ્તારોમાં જોરદાર પવન અને ભારે વરસાદની સંભાવના છે.
પીએમ નરેન્દ્ર મોદીએ તોફાન અને તેનાથી જે પરિસ્થિતિ સર્જાશે તેને પહોંચી વળવા
ગૃહ મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ની હાઈ લેવલ બેઠક
બપોરે 4 વાગે બોલાવી હતી.
NDRFએ કહ્યું-
ઓડિશામાં 13 અને
બંગાળમાં 17 ટીમ ફરજ પર
NDRFના ડીજી
એસએન પ્રધાને કહ્યું કે ચક્રવાત અમ્ફાનથી ઓડિસા અને પશ્ચિમ બંગાળ સૌથી વધારે
અસરગ્રસ્ત થશે. તેનો સામનો કરવા માટે ઓડિશામાં 13 અને પશ્ચિમ
બંગાળમાં 17 ટીમ ગોઠવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની રિવ્યુ મીટિંગમાં આ
અંગે નક્કી કરવામાં આવ્યુ કે NDRFની કેટલીક ટીમ
એરલિફ્ટ કરવા માટે પણ તૈયાર રહેશે, જેથી
ઈમર્જન્સીની સ્થિતિમાં લોકોને મદદ પહોંચાડી શકાય.
12 કલાકમાં વધુ
ઝડપી થશે
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મૃત્યુંજય
મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે, 12 કલાકમાં તે
સંપૂર્ણપણે જોરદાર તોફાનમાં ફેરવાઈ જશે. આગામી 6 કલાકમાં, તેની અસર
દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા માંડશે. આ તોફાનનું કેન્દ્ર ઓડિશાના પારાદીપથી 980 કિમી દૂર
છે. દક્ષિણ પશ્ચિમ બંગાળના દીઘાથી 130 કિ.મી.
દક્ષિણ પશ્ચિમમાં અને બાંગ્લાદેશમાં ખેપુપારાથી 1,250 કિ.મી.
દક્ષિણ પશ્ચિમમાં છે. આ અસરને કારણે, બંગાળની
ખાડીના દક્ષિણ ભાગમાં પવન સોમવારે સવારે 150 કિ.મી પ્રતિ
કલાકની ઝડપે, મધ્ય ભાગમાં 190 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
આ વિસ્તારોને અસર
થશે
તોફાનને કારણે પશ્ચિમ બંગાળના 24 ઉત્તર અને
દક્ષિણ પરગના, કોલકાતા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, હાવડા અને હુગલીમાં ભારે વરસાદ પડી શકે
છે. ઓડિશામાં ગજપતિ, ગંજામ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર, ભ્રડક, મયુરભંજ, ઝંપપુરા, સહારપાડા અને કેઓંઝાર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જારી કરવામાં
આવ્યું છે. દરમિયાન, ઓડિશા સરકારે કેન્દ્રને વિનંતી કરી છે કે 18 મેથી ત્રણ
દિવસ શ્રમિક ટ્રેનો ચલાવવામાં ન આવે.
બંને રાજ્યોમાં
એનડીઆરાએફની 17 ટીમો તૈનાત
વાવાઝોડાને જોતાં એનડીઆરએફની 17 ટીમો બંને
રાજ્યોમાં ગોઠવવામાં આવી છે, એનડીઆરએફની 10 ટીમો પશ્ચિમ
બંગાળમાં અને 7 ટીમો ઓડિશામાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને
જણાવ્યું હતું કે- ઓડિશામાં આ ટીમો 7 જિલ્લા અને
બંગાળના 6 જિલ્લામાં મોકલવામાં આવી છે. 10 ટીમો
સ્ટેન્ડબાય પર મૂકવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. પારાદીપમાં 21 સભ્યોવાળી
એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ટીમના સભ્યો કટર, બોટ ચેન અને
રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી તમામ વસ્તુઓ સાથે પહોંચ્યા હતા.