ઝેલેન્સ્કીએ કહ્યું, તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનું છું
કીવ: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. રાષ્ટ્રપતિ
વોલોદિમિર ઝેલેન્સ્કીએ NATOને વિનંતી કરી છે તેમાનાં દેશમાં નો-ફ્લાય ઝોન લાગુ કરવામાં આવે. ઝેલેન્સ્કીએ
દેશને સંબોધતા એક વિડિયો સંદેશમાં કહ્યું કે નાટોને તેમની તરફથી પહેલેથી જ ચેતવણી
આપવામાં આવી હતી કે રશિયા યુદ્ધ શરૂ કરી દેશે, તેમની આખી વિચારધારા
જૂઠાણા પર આધારિત છે અને તેઓ નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇનનો હથિયાર
તરીકે ઉપયોગ કરશે.
ઝેલેન્સ્કીએ વધુમાં
કહ્યું હતુ કે, "જો તમે યુક્રેનમાં નો-ફ્લાય ઝોન લાગુ નહીં કરો તો, રશિયાની મીસાઈલો તમારા
પ્રદેશમાં, નાટોના પ્રદેશમાં, નાટો નાગરિકોના ઘરો પર હુમલો કરશે," આ સાથે તેમણે યુદ્ધ
સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, યાવોરીવ પરીક્ષણ સ્થળ
પર ગોળીબાર થયો છે, જે દર્શાવે છે કે રશિયાને ધમકી આપવામાં આવી તે કોઈ કામ નથી લાગી. હોસ્પિટલમાં
અમારા લોકો સાથે મુલાકાત કરી. ત્યાં રશિયનોની પણ સારવાર કરવામાં આવી રહી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ
હોસ્પિટલ પહોંચીને ઘાયલ સૈનિકોનું સન્માન કર્યું
રશિયન હુમલાની ગતિ અટકી નથી પરંતુ વધી છે. રશિયા કિવ સહિત અનેક શહેરો પર સતત
હુમલા કરી રહ્યું છે. યુક્રેન પણ રશિયન ટેન્કોનો નાશ કરવાનો દાવો કરી રહ્યું છે. આ
દરમિયાન, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કિવની એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઝેલેન્સ્કીએ
સૈનિકોનું સન્માન કર્યું હતું, તેમની સાથે વાત કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ
હોસ્પિટલમાં ઘાયલ યુક્રેનના ડિફેન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે
ટ્વીટ કર્યું- "મિત્રો, જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ઝેલેન્સ્કીએ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકો
સાથે સેલ્ફી લીધી હતી. ઝેલેન્સ્કીએ 106 જેટલાં સૈનિકોને
યુક્રેનના હીરોઝનો પુરસ્કાર પણ આપ્યો હતો.
યુક્રેનના ડોકટરોનો આભાર માન્યો
ઝેલેન્સ્કીએ કહ્યું કે,
યુક્રેનના ડોકટરો તેમનો (રશિયનોનો) જીવ બચાવી રહ્યા
છે. અને તે સમજી શકાય તેવું છે. કારણ કે તેઓ માણસો છે,
પ્રાણીઓ નથી. હું કિવ,
વિન્નિત્સિયા,
લીવ,ચેર્નિહીવ, ડોનબાસ, ખાર્કિવ, મેલિટોપોલ, મેરીયુપોલમાં કામ કરતા તમામ
ડોકટરો અને નર્સોનો આભાર માનું છું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે બલ્ગેરિયા, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક, રોમાનિયા, પોલેન્ડ અને બ્રિટન સાથે
મહત્વની આંતરરાષ્ટ્રીય વાતચીત થઈ છે.
હ્યુમન કોરિડોર કામ કરી રહ્યા છે
યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા અને યુક્રેનના
અધિકારીઓ વચ્ચે પણ વાતચીત થશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.
રાષ્ટ્રપતિએ કહ્યું, યુક્રેન-રશિયાની વાતચીતમાં અમારા પ્રતિનિધિમંડળનું કામ રાષ્ટ્રપતિઓની બેઠકનું
આયોજન માટે તમામ શક્ય પ્રયાસો કરવાનું રહેશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે દસથી
વધુ હ્યુમન કોરિડોરમાં કામ ચાલી રહ્યું છે. કિવ,
લુહાન્સ્ક પ્રદેશમાં એક દિવસમાં 5550 લોકોને બચાવવામાં આવ્યા છે. છ
દિવસમાં હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ દુ:ખની વાત છે કે
મારીયુપોલમાં હ્યુમન કોરિડોર બ્લોક કરવામાં આવ્યો હતો.
President Volodymyr Zelensky visited the Ukrainian soldiers wounded in battle as they are getting treatment at the military hospital in Kyiv. pic.twitter.com/sEqfvNn8XA
— The Kyiv Independent (@KyivIndependent) March 13, 2022
Президент України Володимир Зеленський відвідав у госпіталі поранених захисників України