1 એપ્રિલના સર્ક્યુલર અનુસાર 12માની પરીક્ષા લૉકડાઉન હટવા અને આગળની સ્થિતિના હિસાબે પ્લાન કરાશે
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:04:39
નવી દિલ્હી: CBSEએ કહ્યું છે કે લૉકડાઉનના કારણે અધવચ્ચે સ્થગિત થઈ જવાને કારણે 10મા અને 12માના જે વિષયોની પરીક્ષાઓ ન લેવાઈ શકી તેને હાલ રદ કરવામાં આવી નથી. સીબીએસઈએ બુધવારે કહ્યું કે બાકીના વિષયોની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય 1 એપ્રિલે લેવાયો હતો અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાકીના તમામ 29 વિષયોની પરીક્ષાઓનું આયોજન કરાશે.
સીબીએસઈ
સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે 1 એપ્રિલના સર્ક્યુલર અનુસાર 12માની પરીક્ષા લૉકડાઉન
હટવા અને આગળની સ્થિતિના હિસાબે પ્લાન કરાશે. પરીક્ષાનું આયોજન ક્યારે થશે તેની
માહિતી 10
દિવસ
પહેલાં અપાશે.