• Home
  • News
  • અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાંમાં આગ, ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, પોલીસે ઝૂંપડપટ્ટીનો આખો વિસ્તાર ખાલી કરાવ્યો
post

એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 11:00:44

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી છે. 10થી 12 ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post