• Home
  • News
  • મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મધ્ય પ્રદેશના મંત્રી ઇમરતી દેવીને આઈટમ કહ્યાં
post

અગાઉ દિગ્વિજયે મિનાક્ષી નટરાજનને 100 ટંચ માલ કહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:33:13

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે ચૂંટણી સભામાં રાજ્યના મંત્રી અને ભાજપના નેતા ઇમરતી દેવીને આઈટમ કહેતા વિવાદ સર્જાયો હતો. કમલનાથે ગ્વાલિયરના ડબરા વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસી ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તેમણે ઇમરતી દેવીનું નામ લીધા સિવાય કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર સરળ સ્વભાવના છે. પેલાના જેવા નથી. શું નામ છે એમનું? (લોકોમાંથી જવાબ આવ્યો ઇમરતી દેવી) હું તેમનું શું નામ લઉં? મારા કરતા તમે વધુ સારી રીતે જાણો છો. તમે તો મને પહેલેથી જ સાવધ કરી દો છો. એ શું આઈટમ છે.

ભાજપે કહ્યું કે નવરાત્રીના બીજા દિવસે કમલનાથે અનુસૂચિત જાતિની મહિલાને આઈટમ કહી નારી શક્તિનું અપમાન કર્યું છે. અગાઉ દિગ્વિજયસિંહે પોતાના જ પક્ષના મહિલા સાંસદને 100 ટંચ માલ કહેતા વિવાદ સર્જાયો હતો. તે સમયે દિગ્વિજયે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ ફાળવામાં આવ્યો છે. મંદસૌરમાં એક સભાને સંબોધતા સાંસદ મિનાક્ષી નટરાજન માટે કહ્યું કે તેઓ 100 ટંચ માલ છે.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો વાયદો- સત્તા મળશે તો કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને પેન્શન
મધ્યપ્રદેશમાં 28 વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે જાહેર કરેલા વચનપત્રમાં લોકોને 52 જેટલા વાયદા આપવામાં આવ્યા છે જેને ત્રણ વર્ષમાં પૂરા કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. તેમાં એક વાયદો એવો પણ છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પેન્શન આપીશું. આ માટે કોંગ્રેસ કોરોના સામાજિક સુરક્ષા પેન્શન યોજના રજૂ કરશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમણે 974 જેટલા વચન આપ્યા હતા તેમાંથી 574 માત્ર 15 મહિનામાં પૂરા કરાયા હતા. વચનપત્રમાં એવું પણ કહેવાયું છે કે કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદાને મધ્ય પ્રદેશમાં લાગુ પાડવામાં નહીં આવે. સત્તા પર આવશે તો કોંગ્રેસ ખેડૂતોનું દેવું માફ કરશે. સામાજિક સુરક્ષા પેન્શન પહેલા રૂપિયા 800 અપાશે અને ત્યારપછી રૂપિયા 1000 અપાશે.

શિવરાજે કહ્યું- કપટપત્ર
કોંગ્રેસના વચનપત્ર અંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસનું આ કપટપત્ર છે. કોંગ્રેસે એક પણ વચન પાળ્યું નથી અને નવું વચન પત્ર લઈ આવ્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post