એકમાત્ર ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ ત્રણ રાજ્યોની સીમા કર્ણાટકને સ્પર્શે છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-19 11:20:26
ગાંધીનગર: કર્ણાટકમાં ભાજપની
યેદિયુરપ્પા સરકારે ગુજરાતી લોકોને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ વધુ હોવાથી યેદિયુરપ્પાની સરકારે આ નિર્ણય
લીધો છે. તેથી હવે ગુજરાતમાં રહેલી કોઇપણ વ્યક્તિને લોકડાઉન-4માં
નિયમો હળવા કરાયાં હોવા છતાં કર્ણાટકમાં પ્રવેશ નહીં મળે.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પોતે જ ગુજરાતી
ઉલ્લેખનીય છે કે
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પોતે જ ગુજરાતી છે, જો કે
આ નિયમ હવેથી ગુજરાતમાંથી આવતા લોકોને લાગુ રહેશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ
તથા કેરળનો પણ સમાવેશ થાય છે. એકમાત્ર ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ ત્રણ
રાજ્યોની સીમા કર્ણાટકને સ્પર્શે છે.