બાબુલાલ ખરાડીએ બે પત્ની સાથે લગ્ન કર્યા છે અને તેમના 8 બાળકો છે
રાજસ્થાનના મંત્રી બાબુલાલ ખરાડીએ બુધવારે લોકોને અત્યંત વાહિયાત સલાહ આપી હતી જેના લીધે તેમની ચોતરફી ટીકા શરૂ થઇ ચૂકી છે. તેમણે લોકોને કહ્યું કે તમે વધુમાં વધુ બાળકો પેદા કરો. તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે તેનાથી તમને કોઈ તકલીફ નહીં પડે કેમ કે વડાપ્રધાન મોદી તેમને રહેવા માટે છત આપશે.
આદિવાસી ક્ષેત્ર વિકાસમંત્રી છે ખરાડી
માહિતી અનુસાર રાજસ્થાનના આદિવાસી ક્ષેત્ર વિકાસ મંત્રી ખરાડીએ કહ્યું કે આ પીએમ મોદીનું સપનું છે કે કોઈપણ ભૂખ્યું અને માથા પર છત વિના નહીં રહે. ખરાડીની બે પત્નીઓ અને 8 બાળકો છે જેમાં 4 દીકરા અને 4 દીકરીઓ છે. ખરાડીએ કહ્યું કે તમારે પણ અઢળક બાળકો પેદા કરવા જોઈએ. પીએમ તમને ઘર આપશે તો પછી સમસ્યા શું છે?
લોકો હસવા લાગ્યા
જાહેર સભાને સંબોધતા જ્યારે ખરાડીએ આ નિવેદન આપ્યું તો લોકો હસવા લાગ્યા હતા અને ત્યાં હાજર લોકપ્રતિનિધિઓ પણ એકબીજાને જોતા જ રહી ગયા હતા. હવે તેમના આ નિવેદન સામે અવનવી પ્રતિક્રિયાઓ અને ટીકાઓનો વરસાદ થવા લાગ્યો છે.