• Home
  • News
  • ભટીંડામાં પિતાની હેવાનિયત:પત્નીએ બીજા લગ્ન કરતા અટકાવ્યો તો પતિએ 6 મહિનાની દિકરીને દિવાલ સાથે પટકીને મારી નાખી
post

વર્ષ 2016માં મર્ચેન્ટ નેવીની નોકરી છોડી ખેતી કરવા લાગ્યો હતો આરોપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 10:57:48

ભટીંડામાં એક પિતાએ તેની 6 મહિનાની દિકરીને દિવાલ પર પટકીને મારી નાંખી છે. આ ઘટનામાં દિકરીને બચાવવા માટે વચ્ચે આવેલી પત્ની તથા સસરાને પણ ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત પત્ની જસવિંદરે કહ્યું કે પતિ જગદિશે મંગળવારે રાત્રે આશરે 10 વાગે તેની દિકરીને મારી નાંખી છે.

દિકરીને પ્રેમથી ખોળામાં લીધી અને બાદમાં મારી નાંખી
જસવિંદર કૌરે પોલીસને કહ્યું કે જગદીશે પહેલા દિકરી એકનૂરને પ્રેમથી ખોળામાં લીધી અને બાદમાં ઓચિંતા જ તેના પગ પકડી ઉલટાવી દીધી અને જોરથી પાસે રહેલી દિવાલ પર તેને પટકી દીધી હતી. આ ઘટના જોતા જસવિંદર અને તેના પિતા ગુરચેત સિંહ દોડીને આગળ આવ્યા તો જગદીશે એક હથિયાર ઉઠાવી જસવિંદરના માથા પર માર્યું હતું. ગુરચેત સિંહને પણ ઈજા પહોંચી હતી.

વર્ષ 2016માં મર્ચેન્ટ નેવીની નોકરી છોડી ખેતી કરવા લાગ્યો હતો આરોપી
જસવિંદરે કહ્યું કે તેનું પિયર ગિલ કલામાં છે. વર્ષ 2017માં તેના લગ્ન આદમપુરાના જગદીશ સિંહ સાથે થયા હતા. જે વર્ષ 2003માં મર્ચેન્ટ નેવીમાં નોકરીમાં જોડાયો હતો. વર્ષ 2016માં તેણે નોકરી છોડી દીધી હતી અને ગામમાં પિતા સાથે મળી ખેતી કરવા લાગ્યો હતો. લગ્ન થયાના થોડા સમય બાદ જગદીશે કહ્યું કે વિદેશમાં રહેતી એક મહિલા સાથે તેના રિલેશન છે. તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.
દરમિયાન એપ્રિલ 2020માં જસવિંદર કૌરે દિકરી એકનૂરને જન્મ આપ્યો હતો. પણ પતિ જગદીશ પત્નીની સાથે દિકરીને પણ નાપસંદ કરવા લાગ્યો. તે સતત ઝઘડો કરતો હતો અને વિદેશી મહિલા સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post