CSJના આંકડા અનુસાર, બળજબરીથી ધર્મ પરિવર્તનના 52% કેસ પંજાબ પ્રાંતમાં નોંધાયા
Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 09:47:52
પાકિસ્તાનમાં બીજા ધર્મોની 32.7% છોકરીઓનું બળજબરીપૂર્વક ધર્મ
પરિવર્તન કરાવી દેવાયું. એમાં મોટા ભાગની વય 11થી 15 વર્ષની જ હતી. આમાં ફક્ત 16.67% બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનથી
પીડિત 18 વર્ષથી
ઉપરની હતી. પાકિસ્તાનના માનવાધિકાર સમૂહ- સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ(સીએસજે)ના
હવાલાથી આ સમાચાર સામે આવ્યા હતા. પાકિસ્તાનના અખબાર ડૉને આ માહિતી આપી હતી.
સૌથી વધુ સગીર છોકરીઓ ભોગ બની
સીએસજેના
આંકડા અનુસાર, પંજાબ
પ્રાંતમાં સૌથી વધુ 52% બળજબરીપૂર્વક
ધર્મ પરિવર્તનના કેસ નોંધાયા હતા. આવા કેસમાં સૌથી વધુ 46.3% સગીર છોકરીઓ જ ભોગ બની હતી.
સીએસજેએ શનિવારે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની ફરિયાદો અને ધાર્મિક સ્વતંત્રતા
વિષય પર ઓનલાઈન આયોજિત ડિબેટમાં આ આંકડા શેર કર્યા હતા.