ચીનમાં માત્ર એક પ્રાંત કેન્દ્રમાં રહ્યો, ભારતના તમામ મોટા રાજ્ય પ્રભાવિત
નવી દિલ્હી: ચીનમાં 60 દિવસમાં નવા દર્દી 100થી વધુ થયા
નથી. જ્યારે બીજી તરફ ભારતમાં 28 માર્ચે પહેલીવાર 100નો આંકડો પાર થયો હતો અને હવે રોજ 3 હજાર દર્દી મળે છે. શુક્રવારે ભારત ચીનને પાછળ છોડી 1100થી પ્રભાવિત દેશોમાં સામેલ થશે.
ચીનમાં 78 હજાર દર્દી થતા 176 દિવસ લાગ્યા
હતા, ભારતમાં માત્ર 106 દિવસ
·
ચીનમાં 17 નવેમ્બર 2019ના રોજ પ્રથમ દર્દી મળ્યો હતો.
મહિના સુધી ખ્યાલ આવ્યો ન હતો.
·
ભારતમાં 30 જાન્યુ.એ પ્રથમ દર્દી મળ્યો હતો. 14 મેના રોજ આંકડો 78 હજારને પાર
થઈ ગયો.
મહત્ત્વની વાત એ છે કે ચીને ચેપનો ફેલાવો અટકાવ્યો હતો. 72 હજાર દર્દી માત્ર હુવેઈ પ્રાંતમાં હતા. વુહાન શહેર તેનું
કેન્દ્ર હતું. આ બાજુ ભારતના 5 રાજ્યોમાં 5 હજારથી વધુ દર્દી છે. મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ છે.
ચીનમાં માત્ર એક પ્રાંત કેન્દ્રમાં રહ્યો, ભારતના તમામ મોટા રાજ્ય પ્રભાવિત
·
ચીનમાં
કોરોનાનું કેન્દ્ર રહેલા હુવેઈ પ્રાંતની બહાર માત્ર બે પ્રાંતમાં 100થી વધુ લોકોને ચેપ લાગ્યો હતો
·
ભારતના 27 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ફેલાયો. 13.9 દિવસમાં દર્દી બમણાં થયા.
ચીનમાં સક્રિય દર્દીની સંખ્યા 14 એપ્રિલે 1 હજારથી નીચે આવી ગઈ છે. આ બાજુ
ભારતમાં 14 એપ્રિલે સક્રિય દર્દી 10 હજાર થયા
હતા. એટલે કે 1 મહિનામાં ચીનમાં 9894 દર્દી ઓછા
થયા જ્યારે ભારતમાં 39 હજાર વધ્યા.
ચીનમાં હવે માત્ર 104 એક્ટિવ કેસ
છે, અહીં ભારતમાં 49918
·
ચીનમાં 16 ફેબ્રુઆરીએ સૌથી વધુ 57907 એક્ટિવ
દર્દી હતા. ત્યારપછી ઘટવા લાગ્યા.
·
ભારતમાં હવે
એક્ટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે. રિકવરી રેટ 32 ટકા
પહોંચ્યો છે.
ચીનમાં 21 દિવસ પછી
દર્દી ઘટ્યા, ભારતમાં 51 દિવસ પછી
વધે છે
·
ચીનમાં 23 જાન્યુઆરીએ લૉકડાઉન અમલમાં આવ્યું. ત્યારપછી 12 ફેબ્રુઆરીએ 1 દિવસમાં
સૌથી વધુ 14 હજાર દર્દી મળ્યા. પરંતુ ત્યારપછી નવા દર્દીની સંખ્યા સતત
ઘટવા માંડી. આથી 8 એપ્રિલે 77 દિવસ પછી ચીનમાં લૉકડાઉન હટાવી
દેવાયું.
·
અહીં
ભારતમાં 25 માર્ચે લૉકડાઉન લાગુ થયું. 51 દિવસ પછી પણ
દર્દી ઘટવાના શરૂ થયા નથી. તજજ્ઞો કહે છે કે જૂનના અંતે દર્દી ચરમસીમાએ હોઈ શકે
છે. જોકે લૉકડાઉનમાં ધીરે-ધીરે છૂટ વધી રહી છે.
·
તજજ્ઞ કહે
છે કે ચીને કડક લૉકડાઉન દ્વારા વાઈરસને વુહાનની બહાર નીકળવા દીધો નહીં. ચીનનો 70 ટકા વિસ્તાર સુરક્ષિત રહ્યો. પરંતુ ભારતમાં માત્ર
પૂર્વોત્તર રાજ્યોના 3 રાજ્યો સિવાય કોઈપણ વિસ્તાર વાઈરસથી બચી શક્યો નહીં.
ભારતમાં ચીનથી ઓછા લોકોના મોત થયા, પરંતુ જોખમ યથાવત્ છે
·
ચીનમાં 5.59 ટકા દર્દીના મોત થયા. ભારતમાં આ દર 3.16 ટકા છે. એટલે કે ભારતમાં મૃત્યુદર ચીનથી સારો છે. કારણકે
ભારતમાં હજી એક્ટિવ દર્દી 49918 છે. આથી આ દર વધી શકે છે.
·
ચિંતાજનક
બાબત એ છે કે, વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુઆંક 3 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં દર્દીનો મૃત્યુદર વિશ્વમાં
રશિયા અને પેરુ પછી સૌથી ઓછો છે. અમેરિકામાં અત્યારે મૃત્યુદર 5.96 ટકા છે.