• Home
  • News
  • રશિયા પાસેથી હથિયાર ખરીદવામાં ભારત પ્રથમ નંબરે:5 વર્ષમાં 1 લાખ કરોડના હથિયાર ખરીદ્યા, પશ્ચિમી દેશોના દબાણની કોઈ અસર નહીં
post

રશિયા પાસેથી હથિયાર ખરીદવાના મામલે વિદેશ મંત્રીના નિવેદન પરથી ભારતનું વલણ સમજો

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 18:11:26

રશિયા પાસેથી હશિયાર ખરીદવાના મામલે ભારત સમગ્ર દુનિયામાં પ્રથમ નંબરે છે. આ દાવો રશિયાની સરકારી એજન્સીએ કર્યો છે. એજન્સી મુજબ, છેલ્લા 5 વર્ષમાં રશિયાએ લગભગ 13 બિલિયન ડોલર એટલે કે 1 લાખ કરોડ રુપિયાના હશિયાર ભારતને સપ્લાય કર્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતે રશિયા પાસે 10 બિલિયન ડોલરના હથિયાર માંગ્યા હતા.

રશિયામાં બનેલા 20% હથિયારો માત્ર ભારત જ ખરીદે છે
એજન્સીએ એ પણ જણાવ્યું છે કે ભારત એકલા રશિયા પાસેથી 20 ટકા હથિયાર ખરીદી રહ્યું છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની પણ બંને દેશોમાં હથિયારોની ખરીદી પર કોઈ અસર થઈ નથી.મિલિટરી ટેકનિકલ કોર્પોરેશન માટે રશિયાની ફેડરલ સર્વિસના વડા દિમિત્રી શુગાયવે જણાવ્યું કે ભારત સિવાય ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોએ રશિયા પાસેથી હથિયાર ખરીદવામાં પોતાનો રસ ઓછો કર્યો નથી.

ભારત પશ્ચિમી દેશોના દબાણમાં આવ્યું નથી
શુગાયવે એ પણ કહ્યું કે અમેરિકા અને પશ્ચિમી દેશોએ ભારત પર રશિયા પાસેથી હથિયાર ન ખરીદવા માટે ઘણું દબાણ કર્યું હતું. જો કે, ભારત આ દબાણો સામે ઝૂક્યું ન હતું અને બંને દેશોના
સંબંધો જાળવી રાખ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે એશિયાઈ દેશોને રશિયાના કેટલાક પસંદ કરેલા હથિયારોમાં વધુ રસ છે.

રશિયાના આ હથિયારોમાં એશિયાઈ દેશો વધુ રસ દાખવી રહ્યા છે
1) S-400
ટ્રાયમ્ફ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ
2)
શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ
3) Su-30
યુદ્ધ વિમાન
4)
મિગ-29

રશિયા પાસેથી હથિયાર ખરીદવાના મામલે વિદેશ મંત્રીના નિવેદન પરથી ભારતનું વલણ સમજો
સમયાંતરે પશ્ચિમી દેશો ભારત પર રશિયા પાસેથી તેલ અને હથિયાર ન ખરીદવા માટે દબાણ કરતા રહે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ત્યારે જ ઓસ્ટ્રેલિયન પત્રકાર તેમની પાસેથી શસ્ત્રો ખરીદવા માટે રશિયા પર નિર્ભરતા ઘટાડવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પર વિદેશ મંત્રીએ જોરદાર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે વર્ષોની ભાગીદારી છે. જેથી ભારતનો ઘણો જ ફાયદો થયો છે. રશિયાઓ ભારતને ત્યારે હશિયાર પહોંચાડ્યા, જ્યારે પશ્ચિમી દેશ પાકિસ્તાન જેવા સૈન્ય તાનાશાહીનું સમર્થન કરી રહ્યા હતા. ભારત કોઈના દબાણનાં આવીને નહીં, પણ પોતાના હિતોને જોતા નિર્ણય લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post