લક્ઝરી બસમાં 57 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા
સુરત-નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક
શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની
લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5 વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત
થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં
આવ્યા હતા.
ફર્સ્ટ પર્સનઃ બસ રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો
ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું
કે,
એક
લક્ઝરી
બસ
સ્પીડમાં પસાર
થઈ
હતી.
ત્યારબાદ અચાનક
રોડ
બાજુએ
ઉતરી
જતા
જોરદાર
અવાજ
આવ્યો
હતો.
હું
દોડી
ને
ગયો
તો
બાળકોની ચીચયારી સંભળાતી હતી.
તાત્કાલિક 108ને
જાણ
કરી
પલટી
ખાય
ગયેલી
લકઝરી
બસમાંથી બાળકોને બહાર
કાઢવાની કામગીરી શરૂ
કરી
હતી.
બીજા
લોકો
પણ
મદદે
આવી
ગયા
હતા.
તમામ
બાળકો
અને
વડીલોને બહાર
કાઢી
108ની
મદદથી
સારવાર
માટે
રીફર
કર્યા
હતા.
લક્ઝરી
બસમાં
57 બાળકો
હતા
જેમાં
23ને
ગંભીર
ઇજા
થઇ
હતી.
જેમાં
3-4ની
હાલત
ગંભીર
હોવાનું જાણવા
મળ્યું
છે.
બસમાં ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓ સવાર હતા
મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના અમૃતપુરામાં જિલ્લા
પંચાયત
શિક્ષણ
સિમિતિ
ભરૂચ
સંચાલિત પ્રાથમિક શાળા
આવેલી
છે.
ધોરણ
4થી
8ના
વિદ્યાર્થીઓના સાપુતારા પ્રવાસના આયોજનને લઈને
આજે
વહેલી
સવારે
57 વિદ્યાર્થી અને
શિક્ષકો રાધે
ક્રિષ્ના ટુર્સ
એન્ડ
ટ્રાવેલ્સની લક્ઝરી
બસ(GJ-01-BV-9593)માં અંકલેશ્વરથી નીકળ્યા હતા.
દરમિયાન ચીખલીના સુરખેવ
નજીક
બસ
પલટી
મારી
ગઈ
હતી.
પ્રવાસી બસને
અકસ્માત નડતા
રોડ
વિદ્યાર્થીઓની ચીચયારીઓથી ગૂંજી
ઉઠ્યો
હતો.
ચાર લોકોશેનની 108
દ્વારા કામગીરી કરાઈ
લક્ઝરી બસ પલટી
મારી
જતા
આસપાસથી લોકો
દોડી
આવ્યા
હતા.
લોકોએ
108ને
જાણ
કરી
વિદ્યાર્થીઓને બસમાંથી બહાર
કાઢવાની કામગીરી હાથ
ધરી
હતી.
દરમિયાન અનાવલ,
ચીખલી,
કાંકલ,
લીમઝર
લોકેશનના 108ના
ઈએમટી-પાયલોટ દોડી આવ્યા
હતા
અને
23 જેટલા
ઈજાગ્રસ્ત થયેલા
વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર
અર્થે
ચીખલી
અને
નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જે
પૈકી
ત્રણની
હાલત
ગંભીર
હોવાથી
સુરત
સિવિલ
હોસ્પિટલ ખાતે
ખસેડવામાં આવ્યા
હતા.
દરમિયાન વધુ
ત્રણની
તબિયત
લથડતા
સુરત
સિવિલ
ખસેડ્યા હતા.