શકુનિનો રોલ મળવા પર પરિવારજનોની નારાજગી સહન કરવી પડશે તેવી ચિંતા હતી. બધાએ તેના પાત્રને પસંદ કર્યું અને વખાણ કર્યા.
મહાભારતમાં શકુનિની
ભૂમિકા ભજવનાર ગુફી પેન્ટલનું સોમવારે સવારે 9 વાગ્યે નિધન થયું હતું.
તેઓ 78 વર્ષના હતા. પેન્ટલ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈ અંધેરીની હોસ્પિટલમાં દાખલ હતા.
તેના કો-સ્ટાર સુરેન્દ્ર પાલે મૃત્યુની પુષ્ટિ કરી છે. ગુફીના ભાઈએ દૈનિક ભાસ્કરને
જણાવ્યું કે આજે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે ઓશિવારા સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
છેલ્લા 15 દિવસથી તબિયત લથડતા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ અને કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યાં
હતા. ગુફીની તબિયત બગડી ત્યારે તે ફરીદાબાદમાં હતા. તેમને પહેલા ફરીદાબાદની
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી મુંબઈ લાવવામાં આવ્યા હતા.
મહાભારતના અર્જુને
કહ્યુંગુફીએ ઓડિશન કરાવ્યું હતું, હંમેશા આભારી રહીશ
મહાભારતમાં અર્જુનનો રોલ નિભાવનાર અભિનેતા ફિરોઝ ખાને જણાવ્યું હતું કે, ગુફી છેલ્લા બે દિવસથી
હોશમાં ન હતા. તે ICUમાં હતા.ગુફીના કારણે જ તેમને મહાભારતમાં કામ મળ્યું હતું. અર્જુનના રોલ માટે
મને ઓડિશન આપ્યું હતું.'આ માટે હું હંમેશા ગુફીનો આભારી રહીશ.'
અત્રે ઉલ્લેખનીય છે કે, અર્જુનનો રોલ કર્યા બાદ
ફિરોઝે પોતાનું નામ ફિરોઝથી બદલીને અર્જુન કરી દીધું હતું. આજે તેઓ અર્જુનના નામથી
ઓળખાય છે.
હિતેન પટેલે આપી માહિતી
અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેના ભત્રીજા હિતેન દ્વારા પણ કરવામાં આવી
છે. હિતેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે, 'મહાભારતના ફેમસ એક્ટર
શકુનિ મામા એટલે કે ગુફી પેન્ટલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, એક્ટરનું આખું નામ
સરબજીત ગુફી પેન્ટલ હતું.'
'શકુનિ મામા'નો રોલ નિભાવ્યા બાદ મળી ઓળખ
ગુફી પેન્ટલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો
તેમણે 1980ના દાયકાના ઘણા ટીવી શો સાથે
ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેમણે બીઆર ચોપરાની હિટ ટીવી સિરિયલ 'મહાભારત'માં શકુનિ મામાની ભૂમિકા ભજવી
છે.
80ના દાયકામાં આવતી આ
સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય હતી. આ સિરિયલ બે વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલી
હતી. આ સિરિયલ તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થઈ હતી.
ગુફીએ 1975માં 'રફુ ચક્કર'થી બોલિવૂડ ડેબ્યુ
કર્યું ગુફીએ 1975માં 'રફુ ચક્કર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે 80ના દાયકામાં ઘણી ફિલ્મો
અને ટીવી શોમાં જોવા મળ્યા હતા. જોકે, ગુફીને વાસ્તવિક ઓળખ 1988માં બીઆર ચોપરાના સુપરહિટ
શો 'મહાભારત'થી મળી હતી. જેમાં તેમણે શકુનિ મામાનું પાત્ર ભજવ્યું હતું. ગુફી છેલ્લે સ્ટાર
ભારતના શો 'જય કન્હૈયા લાલ કી'માં જોવા મળ્યા હતા.
ગુફીએ ભાસ્કરને
આર્મી જવાનમાંથી શકુનિ બનવાની સફર કહી
એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલાં ગુફી પેન્ટલ આર્મીમાં હતા. પેન્ટલે દિવ્ય
ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં સેનાના જવાનમાંથી શકુનિ બનવાની વાતને શેર કરી હતી.
તેમણે કહ્યું હતું, 1962માં જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે હું
એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. યુદ્ધ દરમિયાન પણ કોલેજમાં આર્મી ભરતી ચાલતી હતી.
હું હંમેશાં આર્મીમાં જોડાવા માગતો હતો. પ્રથમ પોસ્ટિંગ ચીન સરહદ પર આર્મી
આર્ટિલરીમાં હતું.
સરહદ પર મનોરંજન માટે
ટીવી અને રેડિયો નહોતાં એટલે અમે (સેનાના જવાનો) સરહદ પર રામલીલા કરતા. હું
રામલીલામાં સીતાનો રોલ નિભાવતો હતો અને રાવણના વેશમાં એક વ્યક્તિ સ્કૂટર પર આવતો
અને મારું અપહરણ કરતો હતો. મને એક્ટિંગનો શોખ હતો અને એમાં પણ થોડી ટ્રેનિંગ પણ
મળી ગઈ હતી.
જ્યારે એક્ટિંગમાં રસ
વધવા લાગ્યો, ત્યારે ગુફી તેમના નાના ભાઈ કંવરજિત પેન્ટલના કહેવાથી 1969માં મુંબઈ આવ્યા.
મોડલિંગ અને એક્ટિંગ શીખ્યા અને ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ
કર્યું. આ દરમિયાન તેમને બીઆર ચોપરાની મહાભારતમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ
કરવાની તક મળી.
વધુમાં જણાવ્યું હતું
કે 'તે સમયે મહાભારતમાં શકુનિના પાત્ર માટે યોગ્ય ચહેરો શોધી રહ્યો હતો. મેં શો
માટે તમામ પાત્રોનું ઓડિશન આપ્યું હતું. આ રોલ માટે ત્રણ લોકોને શોર્ટલિસ્ટ કર્યા
હતા. દરમિયાન, માસૂમ રઝા જેઓ શોની સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા, મારી નજર પડી અને મને
શકુનિની ભૂમિકા ભજવવાની સલાહ આપી. આ રીતે હું મહાભારતના શકુનિ મામા બન્યા હતા.'
મેં અગાઉ ટીવી સિરિયલ
બહાદુર શાહ ઝફરમાં લોર્ડ મેટક્લિફની ભૂમિકા ભજવી હતી. શકુનિનો રોલ મળવા પર
પરિવારજનોની નારાજગી સહન કરવી પડશે તેવી ચિંતા હતી. બધાએ તેના પાત્રને પસંદ કર્યું
અને વખાણ કર્યા.