• Home
  • News
  • મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથે લગ્ન કરવા અંગે આપ્યો આવો જવાબ
post

હું ખુશ રહેવા ઈચ્છતી હતી અને આજે જે માણસ મારા જીવનમાં છે, તે મને ખુશ રાખે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-06 19:56:56

મુંબઈ: મલાઈકા અરોરાએ ઓટીટીની દુનિયામાં પગ મૂકતા જ ધૂમ મચાવી દીધી છે. તેમનું 'મૂવિંગ ઈન વિથ મલાઈકા' છવાઈ ગયુ છે. શો માં મલાઈકાએ પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે લગ્ન વિશેની વાત કરીને દર્શકોની આતુરતા વધારી દીધી છે. 

આ શો ને ફરાહ ખાન હોસ્ટ કરી રહ્યા છે અને તેઓ શો માં મલાઈકા ને તેમની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશેના પ્રશ્નો કરી રહ્યા છે, જેનો મલાઈકા બિન્દાસ્ત જવાબ આપી રહ્યા છે.

શો માં જ્યારે ફરાહ ખાને મલાઈકાને તેમના ફ્યુચર પ્લાન વિશે પૂછ્યુ તેમણે કહ્યુ, તમારો કંઈક તો ફ્યુચર પ્લાન હશે ને. શુ તમે બાળક ઈચ્છો છો? શુ તમે બીજીવાર લગ્ન કરવા ઈચ્છો છો? તો મલાઈકાએ રમૂજ કરતા કહ્યુ, મને નથી ખબર કે ફ્યુચરમાં મારા માટે શુ છે? આ એવી બાબતો છે જે ખૂબ જ કાલ્પનિક છે. આ એવી બાબત છે, જેના વિશે આપણે પહેલા પણ ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ અને કરતા રહીએ છીએ. 

મલાઈકા અરોરાએ એ પણ કહ્યુ કે મને એ વાતની પરવા નથી કે દુનિયા અમારા વિશે અને અમારા નિર્ણયો વિશે શુ વિચારે છે. હુ અસુરક્ષિત અનુભવતી નથી. માત્ર એટલા માટે કે હુ તલાક કે કોઈ અન્ય બાબતમાંથી પસાર થઈ ચૂકી છુ, મારી પાસે અનુભવ કરવા માટે ઘણુ બધુ છે અને મને લાગે છે કે હુ એક રિલેશનશિપમાં વધારે શ્રેષ્ઠ માણસ છુ. મે આજે જે પણ નિર્ણય લીધા છે તે એટલા માટે કેમ કે હુ ખુશ રહેવા ઈચ્છતી હતી અને આજે જે માણસ મારા જીવનમાં છે, તે મને ખુશ રાખે છે.

adv

Related News

post
post
post
post
post
post
post