ઈરાન ત્રીજો દેશ છે, જેણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાન પહેલાં અમેરિકાએ 2011 અને ભારતે સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી
પાકિસ્તાનમાં ગુરુવારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવાના
દાવા કેટલાંક મીડિયા રિપોટ્સમાં કરવામાં આવ્યા છે. રિપોટ્સ મુજબ ઈરાનના
રિવોલ્યુશનરી ગાર્ડે પાકિસ્તાનમાં ઘણે અંદર જઈને આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કર્યા
હતા. ઈરાને 3 વર્ષ
પહેલાં અપહ્યત કરાયેલા પોતાના બે જવાનોને છોડાવ્યા છે. ઈરાનના જવાનોનું 3 વર્ષ પહેલાં દક્ષિણી-પશ્ચિમી
પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-અલ અલદ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
ઈરાની સેનાએ પોતાના મિશનને
સક્સેસફુલ ગણાવ્યું
રિપોટ્સ
મુજબ ઈરાને પાકિસ્તાનની અંદર ઘૂસીને 2 ફેબ્રુઆરીની રાત્રે સર્જિકલ
સ્ટ્રાઈક કરી હતી. ઈરાને પાકિસ્તાની સેનાને આ એક્શનની પહેલાંથી કોઈ જ જાણકારી આપી
ન હતી. 3 ફેબ્રુઆરીએ
ઈરાની સૈનિકોએ પોતાના મિશનને સક્સેસફુલ ગણાવી અને જવાનોને મુક્ત કરાવવાની પણ
જાણકારી આપી. જૈશ-અલ અલદ આતંકી ગ્રુપ દક્ષિણી-પશ્ચિમી પાકિસ્તાનમાં એક્ટિવ છે અને
માનવામાં આવે છે કે ઈરાની સેનાએ આ વિસ્તારમાં જ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો
હોય શકે છે.
2018માં ઈરાનના સૈનિકોનું અપહરણ કરાયું
હતું
આ
સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં હુમલો કરતા રહે છે. જેને ફેબ્રુઆરી 2019માં આ વિસ્તારમાં ઈરાની જવાનોની બસ
પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક ઈરાની સૈનિકો માર્યા ગયા હતા અને ડઝનો ઘાયલ
થયા હતા. ઓક્ટોબર 2018માં આ
આતંકવાદી સંગઠને 14 ઈરાની
સૈનિકોનું અપહરણ કરી લીધું હતું. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના મીરજાવેહ
બોર્ડર પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાંથી 5 સૈનિકોને એક મહિના પછી છોડી
દેવામાં આવ્યા હતા.
ભારત-અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને
ઓપરેશન પાર પાડી ચુક્યા છે
ઈરાન
ત્રીજો દેશ છે જેને પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાન પહેલાં અમેરિકાએ 2 મે 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં
ઘુસીને અલકાયદાના ચીફ લાદેનનો ખાતમો કર્યો હતો. જે બાદ ભારતે સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 14 ફેબ્રુઆરી 2019નાં રોજ પુલવામા એટેક પછી ભારતે તે
જ વર્ષ 26 ફેબ્રુઆરીનાં
રોજ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી.