મુંબઈ હુમલાના કેસમાં તેની 2008માં ધરપકડ કરાઈ હતી
Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 14:31:15
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે મુંબઈ હુમલા(26/11)ના માસ્ટરમાઈન્ડ અને
લશ્કર-એ-તોઈબાના વડા જકી-ઉર-રહેમાન લખવીને 15 વર્ષની કેદની સજા ફટકારી છે અને
ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લાહોરની કોર્ટે તેને એક દવાખાના માટે મળતી
રકમનો આતંકીઓની મદદ માટે ઉપયોગમાં લેવાનો દોષિત ઠેરવ્યો હતો.
આ મામલે એક તપાસ અધિકારીએ જણાવ્યું કે તેને આતંકીઓ સાથે
સંબંધ માટે નહીં પણ આતંકીઓને ફન્ડિંગ કરવા બદલ સજા ફટકારાઇ છે. મુંબઈ હુમલાના
કેસમાં તેની 2008માં
ધરપકડ કરાઈ હતી.