પંકજે વધુમાં કહ્યું હતું કે એ ખોટી માન્યતા છે કે સંવેદનશીલ ફિલ્મો બનાવવી વધુ પડકારજનક છે.
પંકજ ત્રિપાઠી, અક્ષય કુમાર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ 'OMG
2' આજકાલ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ
સર્ટિફિકેશન (CBFC) એ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ
લગાવી દીધો છે. તો બીજી તરફ રિલીઝ પછી ફિલ્મ 'આદિપુરુષ' જેવા વિવાદોથી બચવા માટે
સીબીએફસીએ ફિલ્મને સમીક્ષા સમિતિને મોકલી છે. આ દરમિયાન તાજેતરમાં અભિનેતા પંકજ
ત્રિપાઠીએ 'OMG 2' વિવાદ પર પોતાનું મૌન તોડ્યું
હતું. તેમણે કહ્યું કે ફિલ્મ વિશે જે પણ લખાઈ રહ્યું છે તેમના પર વિશ્વાસ ન કરો.
જ્યારે આ ફિલ્મ રિલીઝ
થશે ત્યારે સત્ય બધાની સામે આવશે. જોકે, પંકજે સેન્સર બોર્ડ
દ્વારા ફિલ્મના રિવ્યુ અને ફિલ્મ વિશે ચાલી રહેલા વિવાદ વિશે વાત કરવાનો ઈન્કાર
કર્યો હતો.
'જે લખાઈ રહ્યું છે તેના
પર વિશ્વાસ ન કરો' : પંકજ
'ઝૂમ' ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે પંકજ ત્રિપાઠીને ફિલ્મને લઈને શરૂ થયેલા
વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- 'હું એટલું જ કહીશ કે
કૃપા કરીને ફિલ્મ વિશે જે લખાઈ રહ્યું છે તેના પર વિશ્વાસ ન કરો. લોકો ઘણી વાતો
કરે છે. પરંતુ ફિલ્મ રીલીઝ થશે ત્યારે સત્ય બહાર આવશે.
લાઇટ કોમેડી કરવી
મુશ્કેલ છે' : પંકજ
પંકજે વધુમાં કહ્યું હતું કે એ ખોટી માન્યતા છે કે સંવેદનશીલ ફિલ્મો બનાવવી
વધુ પડકારજનક છે. તેમણે કહ્યું, અહીં હળવી કોમેડી કરવી પણ એટલી જ મુશ્કેલ છે. હકીકતમાં
કોમેડી સાથે અભિનેતાને ખબર નથી હોતી કે દર્શકો તેના પર હસશે કે નહીં. ઘણી વખત
શૂટિંગ દરમિયાન આપણને કોઈ પણ સીન ઉશ્કેરાટભર્યો લાગે છે. પરંતુ, દર્શકોને કદાચ તે ખાસ
નહીં લાગે.
CBFCએ 'આદિપુરુષ' ફિલ્મના વિવાદને
ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો
ગયા અઠવાડિયે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેન્સર બોર્ડની
રિવાઇઝિંગ કમિટી કાળજી લઈ રહી છે કે 'OMG:2' માં ડાયલોગ્સ અને સીન
કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડે. જો કે, 'OMG 2' ના કયા સીન અથવા
ડાયલોગ્સ વિવાદમાં છે અથવા કયા સીનને કારણે સીબીએફસીને આવું પગલું ભરવાની ફરજ પાડી
તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
ઈન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર, સૂત્રોનો દાવો છે કે
સીબીએફસી નથી ઈચ્છતી કે ફિલ્મમાં 'આદિપુરુષ' જેવો વિવાદ થાય. એટલા
માટે રિવ્યુ કમિટી ફિલ્મના ડાયલોગ્સ પર ધ્યાન આપશે, જેથી આવી ભૂલો ફરીથી ન
થાય.
11 ઓગસ્ટે
રિલીઝ
આ ફિલ્મને અત્યારે પ્રતિબંધ કહેવું ખોટું હશે. જો
ફિલ્મને CBFC તરફથી સર્ટિફિકેટ મળે છે, તો ફિલ્મ 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર રિલીઝ
થશે. તો આ ફિલ્મ સની દેઓલ અને અમીષા પટેલની 'ગદર-2' સાથે પણ ટકરાશે.